અજમાવી જૂઓ .

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- વાંરવાર મૂત્રત્યાગ કરવાની તકલીફમાંથી રાહત પામવા ત્રણ લીલા આંબળાનો રસ એક ગ્લાસ પાણીમાં ભેળવી સવાર-સાંજ પીવો.

- સંતરાની તેમજ લીંબુની સૂકી છાલની તાકીદે જરૂર પડે તો, આ છાલને માઇક્રોવેવ ઓવનમાં હાઇ સ્પીડ પર બે-ત્રણ મિનિટ મૂકવી.

- ઘરમાં કાંદા ન હોય અને ગ્રેવી બનાવવી હોય તો ખમણેલી કોબી નાખી દેવી.ગ્રેવી સ્વાદિષ્ટ બનશે.

- ચણાનો લોટ બગડી ગયો હોય તો તેને ફેંકી ન દેતાં તેનાથી ચીકણા વાસણો સાફ કરવા. ચીકાશ તરત જ શોષાઇ જશે અને વાસણ સાફ થઇ જશે.

- હળદર અને ચંદન ઘસીને ચહેરા પર લગાડવાથી ચહેરો ચમકીલો બને છે. 

- કોલીફ્લાવરને છૂટું કરી તેને હુંફાળા પાણીમાં રાખવું અને તેમાં એક ચમચી મીઠું નાખવું. એ કલાક બાદ ધોવું તેમાં ઝીણી જીવાત હશે તો નીકળી જશે.

- લીલા મરચાંના ડિંટિયા તોડીને રાખવાથી લાંબા સમય સુધી તાજા રહે છે.

- વાસી નૂડલ્સને સ્વચ્છ પાણીથી ધોઇ તેને ચારણામાં નાખી પાણી નીતારવું અને તેલ લગાડી સૂપ અથવા સ્પ્રિંગ રોલ બનાવવામાં ઉપયોગમાં લઇ શકાય છે.

- ભાત બરાબર રંધાયા ન હોય અને પાણી નાખી ફરી રાંધવાનો સમય ન હોય તો મૂંઝાશો નહીં. ભાતમાં થોડું દૂધ ઉમેરી વરાળ આપવાથી ભાત ખાવાલાયક થઇ જશે.

- અજમામાં ગોળ ભેળવી ખાવાથી પેટના દરદમાં રાહત થાય છે.

- રૂક્ષ હથેળીને મુલાયમ નરમ કરવા બે ચમચી હુંફાળું રાઇના તેલમાં નાનો કટકો મીણ ઓગાળવું. આ પેસ્ટ હથેળી પર ઘસવી.

- પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને મૂંઝારો થતો હોય તો ચાર જાંબુ ખાવાથી કેરી હજમ થશે.

- જાંબુ વધુ પ્રમાણમાં ખવાઇ ગયા હોય તો થોડું મીઠું ખાવું. રાહત થશે.

- બોરિક પાવડરની નાની નાની પોટલી બનાવી દાળમાં રાખવાથી તેમાં જીવાત નહીં પડે.

- કારેલાની છાલ સુકવી દાળના ડબ્બામાં રાખવાથી જીવાત નહીં પડે. 

 - મીનાક્ષી તિવારી


Google NewsGoogle News