અજમાવી જૂઓ .
- ૩ ગ્રામ જેટલોં મેથીનો ભૂક્કો સવાર-સાંજ ગોળ અને પાણી સાથે થોડા દિવસ લેવાથી દસ્ત સાફ આવે છે.
- મચ્છરના ડંખથી બચવા લવિંગનું તેલ લગાડવું.
- જેમનું વજન વધતું ન હોય, જેઓ કાયમ દુબળા-પાતળા રહેતા હોય તેમણે ભોજનમાં ૨-૪ દિવસે અડદની દાળ, અડદનો ઉપયોગ કરવો. તે સાથે શારીરિક શ્રમ કે વ્યાયામ કરવો. તેથી ૪-૬ માસમાં શરીર જાડું, પુષ્ટ અને તાકાતવાન બનશે.
- બહારના માર કે મચકોડ પર હળદર તથા મીઠું ગરમ કરી લેપ કરવો તથા ગોળ-ઘીમાં બનાવેલ ઘઉંના લોટનો શીરો ખવડાવવાથી પીડા દૂર થાય છે.
- ચણાના લોટમાં દૂધ તથા તેલ મેળવીને કાયમ સ્નાન કરવાથી શરીરનો રંગ ગોરો તેજસ્વી બને છે.
- મસૂરની દાળના લોટમાં દૂધ તથા થોડું તેલ નાખીને (સાબુને બદલે) તેના ઉબટનથી રોજ ચહેરા તથા શરીર પર ચોળીને સ્નાન કરવાથી વાન સુંદર બને છે. મેદસ્વીએ દૂધ-તેલ વગર જ એકલા લોટથી સ્નાન કરવું.
- અજમામાં ગોળ ભેળવી ખાવાથી પેટના દરદમાં રાહત થાય છે.
- રૂક્ષ હથેળીને મુલાયમ નરમ કરવા બે ચમચી હુંફાળું રાઇના તેલમાં નાનો કટકો મીણ ઓગાળવું. આ પેસ્ટ હથેળી પર ઘસવી.
- પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને મૂંઝારો થતો હોય તો ચાર જાંબુ ખાવાથી કેરી હજમ થશે.
- જાંબુ વધુ પ્રમાણમાં ખવાઇ ગયા હોય તો થોડું મીઠું ખાવું. રાહત થશે.
- કારેલાની છાલ સુકવી દાળના ડબ્બામાં રાખવાથી જીવાત નહીં પડે.
- બિસ્કિટના ડબ્બામાં બિસ્કિટ ગોઠવતી વખતે બિસ્કિટના દરેક થર વચ્ચે બ્લોટિંગ પેપર રાખવાથી બિસ્કિટ નરમ નહીં પડે.
- કારેલાંની કડવાશ દૂર કરવા કારેલા રાંધતી વખતે કાચી કેરીના બે-ચાર ટુકડા નાખવા.
- બે કપ પાણી ઉકાળવું તેમાં ૧૦-૧૫ તુલસીના પાન તથા થોડા મરી દાણા અને ચપટી સાકર નાખી બરાબર ઉકળે એટલે ચૂલા પરથી નીચે ઉતારી ઠંડુ પડવા દેવું. ગાળીને દિવસમાં ત્રણ વખત પીવાથી હાઇ બ્લડ પ્રેશરમાં લાભ થશે.
- મીનાક્ષી તિવારી