અજમાવી જૂઓ .

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- બદામના તેલનું માલિસ પણ હોંઠની ત્વચાને કોમળ રાખે છે. ગુલાબજળ તથા મલાઇ ફેંટી હોંઠ પર લગાડવાથી હોઠ ચમકતા મુલાયમ બનશે.

- દહીંનું સેવન નિયમિત કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. 

- દહીંમાં અજમો ભેળવીને ખાવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે.

- દહીંમાં પાચન શક્તિ વધારવાની ક્ષમતા છે. દહીમાં કેલશિયમ પ્રચુર માત્રામાં હોવાથી રોજ ખાવાથી પેટની સામાન્ય બીમારીઓમાં રાહત થાય છે. 

- દહીંનું નિયમિત સેવન શરદી અને શ્વાસનળીમાં થનારા ઇન્ફેકશનથી બચાવે છે.

- અલ્સર જેવી બીમારીમાં દહીંનું સેવન વિશેષ લાભ આપે છે. 

- મુખમાંના છાલા પર દહીંના કોગળા કરવાથી છાલામાં રાહત થાય છે.

- ટામેટાના સૂપમાં એક ચમચી ફૂદીનાની પેસ્ટ ભેળવવાથી સૂપ સ્વાદિષ્ટ થાય છે તેમજ સોડમ પણ સારી આવે છે.

- એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા  પાણીમાં ડુંગળી નાખી ઉકાળવું.

- ખજૂરની ચટણી વાટતી વખતે તેમાં એક-બે ચમચી પાણીપૂરીનો મસાલો ભેળવવાથી ચટણીનો રંગ તેમજ સ્વાદ સારો થાય છે.

- બ્રેડની બન્ને બાજુએ માખણ લગાડી શેકવાથી બ્રેડ ક્રિસ્પી થાય છે તેમજ સ્વાદ પણ સારો આવે છે.

- તવા પર પિઝા બનાવતી વખતે પિઝાના રોટલાને બન્ને બાજુએ માખણ લગાડી પહેલા એક બાજુએ બરાબર શેકવા. લાલાશ પડતા ક્રિસ્પી થાય પછી તેના પર મસાલો ભભરાવી નીચેની બાજુએથી રોટલો બરાબર શેકવો.

- ફાટેડી એડી પર રાતના સૂતા પહેલા પેટ્રોલિયમ જેલીમાં કોપરેલ ભેળવી મસાજ કરવુ સવારે પાણીથી ધોઇ નાખવું રાહત થાય છે.  

- મીનાક્ષી તિવારી


Google NewsGoogle News