Get The App

અજમાવી જૂઓ .

Updated: Aug 1st, 2022


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                              . 1 - image


- હળદર અને ચંદન ઘસીને ચહેરા પર લગાડવાથી ચહેરો ચમકીલો બને છે. 

- વાંરવાર મૂત્રત્યાગ કરવાની તકલીફમાંથી રાહત પામવા ત્રણ લીલા આંબળાનો રસ એક ગ્લાસ પાણીમાં ભેળવી સવાર-સાંજ પીવો.

- સંતરાની તેમજ લીંબુની સૂકી છાલની તાકીદે જરૂર પડે તો, આ છાલને માઇક્રોવેવ ઓવનમાં હાઇ સ્પીડ પર બે-ત્રણ મિનિટ મૂકવી.

- ઘરમાં કાંદા ન હોય અને ગ્રેવી બનાવવી હોય તો ખમણેલી કોબી નાખી દેવી.ગ્રેવી સ્વાદિષ્ટ બનશે.

- ચણાનો લોટ બગડી ગયો હોય તો તેને ફેંકી ન દેતાં તેનાથી ચીકણા વાસણો સાફ કરવા. ચીકાશ તરત જ શોષાઇ જશે અને વાસણ સાફ થઇ જશે.

- કોલીફ્લાવરને છૂટું કરી તેને હુંફાળા પાણીમાં રાખવું અને તેમાં એક ચમચી મીઠું નાખવું. એ કલાક બાદ ધોવું તેમાં ઝીણી જીવાત હશે તો નીકળી જશે.

- લીલા મરચાંના ડિંટિયા તોડીને રાખવાથી લાંબા સમય સુધી તાજા રહે છે.

- આલુ-મટર-પનીર તેમજ પનીર ટીક્કા મસાલા જેવા શાકમાં થોડી કસૂરી મેથી નાખવાથી શાક સ્વાદિષ્ટ બને છે.

- જૂના જોડા ઘણા સમય પછી પહેરવા કાઢ્યા હોય તો તેનો ડંખ પડવાની શક્યતા વધી જાય છે. આમ ન થાય તે માટે જોડામાં અંદરના ભાગમાં કોપરેલ લગાડી રાખવું.

- મરચાંની ભૂક્કીને મીઠું તેમજ તેલવાળો હાથ ચોપડી બરણીમાં ભરવું.

- અરૂચિથી છૂટકારો પામવા એક ચમચી ફૂદીનાનો તાજો રસ,એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ ભેળવી દિવસમાં ત્રણ વખત ત્રણ દિવસ પીવું.

- વાસી નૂડલ્સને સ્વચ્છ પાણીથી ધોઇ તેને ચારણામાં નાખી પાણી નીતારવું અને તેલ લગાડી સૂપ અથવા સ્પ્રિંગ રોલ બનાવવામાં ઉપયોગમાં લઇ શકાય છે.

- ભાત બરાબર રંધાયા ન હોય અને પાણી નાખી ફરી રાંધવાનો સમય ન હોય તો મૂંઝાશો નહીં. ભાતમાં થોડું દૂધ ઉમેરી વરાળ આપવાથી ભાત ખાવાલાયક થઇ જશે. 

-મીનાક્ષી તિવારી


Google NewsGoogle News