Get The App

કપાસી અને તુરંત દુ:ખાવો મટાડો અગ્નિકર્મથી

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
કપાસી અને તુરંત દુ:ખાવો મટાડો અગ્નિકર્મથી 1 - image


- આરોગ્ય સંજીવની

ડામ પધ્ધતિ તરીકે ઓળખાતી આ પધ્ધતિની વૈજ્ઞાાનિક ઢબે આયુર્વેદ શાસ્ત્રમાં તૈયાર કરવામાં આવેલ છે. અગ્નિકર્મ ચિકિત્સામાં દર્દીના દુ:ખાવાની ઝીણામાં ઝીણી તમામ વિગતોની જાણકારી મેળવી દુ:ખાવાનાં ઉદ્ગમ સ્થાનોને શોધી નાખવામાં આવે છે. 

અગ્નિકર્મ એ સદીઓ પહેલાં આચાર્ય સુશ્રુતે બતાવેલી અને ખૂબ શીઘ્ર પરિણામ આપનારી પેઈનકીલર તરીકે વિખ્યાત થયેલી પ્રોપર સારવાર પધ્ધતિ છે.

કેટલાંય લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે, આયુર્વેદ દવાઓથી તો ખૂબ વાર લાગે. સારવારમાં ખૂબ લાંબો સમય જાય, ખૂબ ધીરજ રાખવી પડે, ખૂબ પરેજી કરવી પડે... આવું ઘણું-બધું સમાજમાંથી સાંભળવામાં આવે છે. પરંતુ હકીકત કંઈ અલગ જ છે.

કોઈ પણ રોગ મટવાનો આધાર તેની સાધ્ય-સાધ્યતા અને તેની જીર્ણતા પર રહેલો છે. પરંતુ પેઇનકીલર તરીકે ''અગ્નિકર્મ'' એ સુશ્રુત સંહિતાની માનવસમાજને ખૂબ મોટી ભેટ છે. પેઈનકીલર તરીકે જાણીતી ખૂબ સુરક્ષિત અને ખૂબ ઝડપી આ અગ્નિકર્મ સારવાર વિશે ખૂબ ઓછા વૈદ્યો જાણકારી ધરાવે છે, અને જેટલા પણ વૈદ્યો આ અદ્ભૂત પધ્ધતિ વિશે જાણકારી રાખે છે, તે અન્યોને શીખવાડવામાં ખૂબ જ સંકુચિત માનસિકતા ધરાવે છે. જેથી આ ચિકિત્સા પધ્ધતિ અત્યારે દરેક જગ્યાએ અસ્તિત્વમાં નથી.

ડામ પધ્ધતિ તરીકે ઓળખાતી આ પધ્ધતિની વૈજ્ઞાાનિક ઢબે આયુર્વેદ શાસ્ત્રમાં તૈયાર કરવામાં આવેલ છે. અગ્નિકર્મ ચિકિત્સામાં દર્દીના દુ:ખાવાની ઝીણામાં ઝીણી તમામ વિગતોની જાણકારી મેળવી દુ:ખાવાનાં ઉદ્ગમ સ્થાનોને શોધી નાખવામાં આવે છે. ત્યાં પોઈન્ટ માર્ક કરી સ્થાન નક્કી કરવામાં આવે છે, આ સ્થાન ઉપર સોના, ચાંદી, લોખંડ કે કોપરમાંથી બનાવેલ ખાસ પ્રકારની શલાકાને ચોકકસ તાપમાને ગરમ કરી સ્પર્શ કરાવાય છે. આ સ્પર્શ બાદ તુરંત જ સારવાર આપેલ જગ્યાએ કુંવારપાઠું અને દવા લગાડવામાં આવે છે. જેનાથી ઠંડક અનુભવાય છે. દર્દીને જરાપણ દર્દ થતું નથી, અને એક સીટીંગમાં ૫૦ થી ૬૦ ટકા જેટલો દુ:ખાવામાં રાહતનો અનુભવ થાય છે.

આ પદ્ધતિથી સાંધાનો વા, કમર-ગરદનનો દુ:ખાવો, ફ્રોઝન શોલ્ડર, ઘુંટણનો દુ:ખાવો, સાયટીકા વગેરેમાં તેમજ સંધિવાત, આમવાત, ફરતો વા વગેરેમાં અદ્ભૂત પરિણામ મળે છે. ઘુંટણની ઢાંકણી બદલવાનું ઓપરેશન પણ દવા અને અગ્નિકર્મની સહાયથી અટકાવી શકાય છે. અને આમ પણ ઓપરેશન પછી દુ:ખાવો નહીં જ થાય તેની ૧૦૦ ટકાની કોઈ ગેરંટી હોતી નથી.

અગ્નિકર્મ કરેલ જગ્યાએ ૨-૪ દિવસ સુધી પાણી અડે નહીં તેની ખાસ કાળજી રાખવી, તથા ટુવાલ વગેરે પણ તે જગાએ અડકે નહીં તેની સાવધાની રાખવી.

આ અગ્નિકર્મ સારવાર એ દુ:ખાવા ઉપર ખૂબ જ ઝડપથી રાહત આપતી એક માત્ર ચિકિત્સા પદ્ધતિ છે. આ સારવાર પણ બધા વૈદ્યો જાણતા ન હોવાથી દરેક જગ્યાએ અસ્તિત્વમાં નથી.

કેટલાંક દર્દીઓ દાહ પાકશે, ડાઘા રહી જશે તેવા કાલ્પનિક ભયનાં કારણે આયુર્વેદની આ અદ્ભૂત અને ઝડપી સારવાર પધ્ધતિથી વંચિત રહી જાય છે. આધુનિક વિજ્ઞાાનમાં તીવ્ર દુ:ખાવામાં પેઈન કીલર કે ઓપરેશનની સલાહ હોય છે, જ્યારે આયુર્વેદ મુજબ આ રોગમાં ઔષધોપચાર અને અગ્નિકર્મના યોગ્ય સિટીંગ શાસ્ત્રોક્ત પધ્ધતિ મુજબ કરવાથી સંપૂર્ણ રોગમુક્તિ શક્ય છે.

અગ્નિકર્મમાં દુ:ખાવાથી તુરંત રાહત થાય છે, જે વૈજ્ઞાાનિક રીતે સિદ્ધ થયેલું છે. આયુર્વેદ એ વાત-પિત-કફ ઉપર રચાયેલું છે. વાયુ જે સ્થાનમાં ભરાઈ જાય ત્યાં તીવ્ર વેદના કરે છે, તેવું આયુર્વેદ શાસ્ત્ર માને છે. અગ્નિથી વાયુનું શમન થાય છે, તે આયુર્વેદનો નિર્વિવાદ સિધ્ધાંત છે. જેથી જે સ્થાનમાં વાયુ ખૂબ વધી ગયો હોય અને ખૂબ પીડાકારક હોય તે સ્થાન પર જો અગ્નિ આપવામાં આવે તો વાયુનું શમન થવાથી વેદના તુરંત શાંત થાય છે, તેથી જ અગ્નિકર્મ કર્યા બાદ દર્દીને દુ:ખાવામાં ખૂબ ઝડપી રાહત મળી હોય તેવો અનુભવ થાય છે. જેને આયુર્વેદ વિજ્ઞાાન ૧૦૦ ટકા સ્વીકારે છે.

જ્યારે દુ:ખાવો ખૂબ જૂનો હોય અને ખૂબ પીડાકારક હોય ત્યારે જો નીડલથી પિનિંગ કરીને અગ્નિને અંદર સુધી પહોંચાડવામાં આવે અને ત્યારબાદ શલાકા વડે અગ્નિકર્મ કરવામાં આવે તો દુ:ખાવામાં શીઘ્ર અને કાયમી રાહત મળી જાય છે. આ અગ્નિકર્મથી રોગને જડમૂળથી કાઢી શકાય છે. દાહ આપતી વખતે ૪-૫ મિનિટ કીડી ચટકતી હોય માત્ર તેટલી જ વેદના થાય છે, પણ તેની સામે દુ:ખાવામાં કાયમી રાહત મળવાથી રોગ જડમૂળથી જાય છે.

વર્ષોથી સતત દુ:ખાવાની દવાઓ ખાતા હોઈએ છતાં રાહત ન જણાતી હોય તો અગ્નિકર્મનાં ૨-૩ સીટીંગ લીધા પછી જણાવા લાગે છે, તે શું મોટું આશ્ચર્ય નથી.

કપાસીનું કર્તન અગ્નિકર્મ :

કેટલાંક દર્દીઓને વારંવાર કપાસી થઈ જતી હોય છે. અને ખૂબ પીડા થતી હોય છે. અગ્નિકર્મથી આ જે-તે કપાસીના મૂળ સુધી જઈ તેને બાળી નાખવામાં આવે છે, જેથી તે જગ્યાએ ફરી કપાસી થવાની શક્યતા નહિવત રહે છે, અને ખૂબ ઝડપથી રાહત થઈ જાય છે.

કપાસીમાં અગ્નિકર્મ જેવી શ્રેષ્ઠ સારવાર પદ્ધતિ બીજી કોઈ જ નથી.

કેટલાય મોટા ઓપરેશનોમાં ૧૦૦ ટકાનું રીસ્ક હોય છે, છતાં વ્યક્તિ ગભરાતો નથી અને નાનું અમથું 'અગ્નિકર્મ' કે જેમાં કોઈ જાતનું રીસ્ક નથી માત્ર સહેજ દાહનો અનુભવ થાય છે, પણ તેની સામે જડમૂળમાંથી તકલીફ દૂર થાય છે, છતાં પણ આ ચિકિત્સા પદ્ધતિમાં શંકા-કુશંકા થાય તે કેવું મોટું આશ્ચર્ય !

-   જ્હાનવીબેન ભટ્ટ


Google NewsGoogle News