Get The App

રસોઇને વધુ સ્વાદિષ્ટ બનાવતી કુકિંગ ટિપ્સ

Updated: May 16th, 2022

GS TEAM


Google News
Google News
રસોઇને વધુ સ્વાદિષ્ટ બનાવતી કુકિંગ ટિપ્સ 1 - image


રાયતું પીરસતી વખતે જ તેમાં મીઠું નાખવું. પહેલાથી તેમાં મીઠું નાખવાથી રાયતું ખાટુ થઈ જાય છે.

આલુ પરાઠા બનાવતી વખતે તેમાં થોડી કસૂરી મેથી ઉમેરવાથી પરાઠા સ્વાદિષ્ટ થાય છે. 

* બટાકાની સેન્ડિવચ બનાવતી વખતે બાફેલા બટાકા, ઝીણા સમારેલા કેપ્સીકમ, થોડી કસૂરી મેથી અને  વટાણા નાખી વઘારી મનપસંદ મસાલો કરવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે. 

* પનીરને પાણીમાં રાખવાથી તાજુ રહે છે. ઉપરાંત પનીરને બ્લોનિટંગ પેપરમાં વીંટીને રાખવાથી  પણ ફ્રેશ રહે છે. 

* મેથીની કડવાશ દૂર કરવા તેને મીઠું ચોળીને થોડી વાર રાખી નીચોવી લેવી. 

* ભરેલું શાક બનાવતી વખતે તેમાં સીંગદાણાનો ભુક્કો ભેળવવાથી સ્વાદ વધે છે. 

* સુકી કચોરી અથવા તો ભાખરવડી વધી પડયા હોય તો તેમાંથી તેનો મસાલો કાઢી ભરેલા શાક માટે વાપરવાથી ઉપયોગમાં આવે છે તેમજ શાક સ્વાદિષ્ટ થાય છે. 

* રસવાળા શાકમાં મરચું વધુ પડી ગયું હોય તો શાકમાં દેશી ઘી, બટર, મલાઇ, દહીં અથવા ક્રીમ  ઉમેરવાથી શાકમાંની તીખાશ ઓછી થાય છે. 

* પરોઠાને ટેસ્ટી અને ક્રિસ્પી બનાવા માટે લોટમાં બાફેલુ બટાકુ અથવા તો બટાકાને ખમણીને નાખવું. 

* રાયતામાં જીરાનો ભુક્કો નાખવાની બદલે તેમાં ઝીરાનો વઘાર કરીને નાખવાથી રાયતાની સોડમ અને સ્વાદ બન્ને વધે છે. 

* કડક-સખત પનીરને મુલાયમ કરવા માટે હુંફાળા પાણીમાં ચપટી મીઠું નાખી દસ મિનિટ પનીર પલાળી રાખવું. 

* રાતના કઠોળ પલાળતા ભૂલી ગયા હોય તો, સવારે ગરમ પાણીમાં  સોડા ભેળવી  બે-અઢી કલાક પલાળી રાખી તેમાં બે સોપારી મુકી બાફવા.

* પંજાબી શાકની ગ્રેવી બનાવતી વખતે તેમાં મલાઇ અથવા કાજુની પેસ્ટ ઉમેરવાથી ગ્રેવીનો સ્વાદ વધે છે તેમજ ગ્રેવી ઘટ્ટ થાય છે. 

* પુરીને ક્રિસ્પી બનાવા માટે લોટમાં થોડો રવો ભેળવવો. 

* મૂઠિયા બનાવા માટે ઘઉનો જાડો લોટ ન હોય તો સામાન્ય લોટમાં ઘઉંના લોટ કરતાં થોડો ઓછો ચણાનો લોટ અને તેનાથી પણ ઓછો રવો ઉમેરવાથી મૂઠિયા પોચા થાય છે. 

* વટાણાના ઘૂઘરા બનાવાના વાટેલા વટાણાના માવામાં કાચા-કોરા થોડા પૌંઆ ઉમેરવાથી મસાલો  મુઠી વળે તેવો થાય છે. 

* બહાર જેવી ક્રિસ્પી ફ્રેન્ચફ્રાઇઝ બનાવા માટે બટાકાની પાતળી લાંબી કાતરી કરી તેને કાચી-પાકી તળી લઇને તેના પર આરારાટો ભભરાવી થાળી કે ટ્રેમાં મુકી દેવી. ચાર-પાંચ કલાક આ રીતે રાખી દેવી અને પીરસતી વખતે જ તેને ગરમ-ગરમ તેલમાં તળવી. 

* ખમણ ઢોકળા સાથેની ચટણી બનાવા માટે ખમણ ઢોકળાના ચાર-પાંચ ટુકડા, મરચું, કોથમીર અને સ્વાદાનુસાર મીઠું,સાકર લીંબુ ઉમેરી વાટી નાખવું. કોથમીરનું પ્રમાણ વધુ પડતુ ંરાખવું નહીં. પસંદ હોય તો થોડો ફુદીનો પણ નાખી શકાય. 

* કોથમીરની ચટણી લીલીછમ બનાવા માટે તેમાં થોડી પાલક અને વાટતી વખતે બરફના ટુકડા અને મનપસંદ મસાલો નાખવો. 

* આદુ-લસણની પેસ્ટને લાંબા સમય સુધી તાજી રાખવા માટે પેસ્ટમાં થોડું તેલ અને મીઠું ભેળવી ફ્રિઝરમાં રાખવું.

* રગડા પેટીસની પેટીસ, વટાણાની પેટીસ કે પછી ફરાળી પેટીસને ક્રિસ્પી બનાવા માટે તેને વાળીને ચાર-પાંચ કલાક ફ્રિઝમાં રાખી દઇને નોનસ્ટિક તવા પર શેકવી અથવા તો તળી લેવી. શેકતી અને તળતી વખતે જ તેને બહાર કાઢવી પહેલાથી કાઢી રાખવાથી તેમાંથી પાણી છુટશે અને ઢીલી પડી જશે. 

* બાફેલા બટાકાના નાના-નાના ટુકડા કરીને તેને વઘારીને બટાટાવડા બનાવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે. બાફેલા બટાકાના છુંદામાં વધાર કરવાની બદલે બટેકાને જ વઘારી દેવા. સ્વાદાનુસાર, લસણ,મરચું, રાઇ, અડદની દાળ,આદુ-મરચાની પેસ્ટ, ખમણેલો આદુ,લીમડાના પાનને તોડીને નાખવા જેથી મોઢામાં આવે નહીં. આ સઘળાનો વઘાર કરી બટાકાના ટુકડા નાખી હલાવી તેમાં મીઠું,લીંબુ અને કોથમીર નાખી મિક્સ કરવું. 

- મીનાક્ષી તિવારી

Tags :