Get The App

દિવાળી પર્વના તહેવારોમાં જિલ્લાની આઠ ડેપોની 100 થી વધુ એકસ્ટ્રા બસો દોડાવાશે

- તહેવારોમાં ફરવા નીકળનારાઓ અને વતન જનારા મુસાફરો માટે રાહત

- જિલ્લાના એસ.ટી.તંત્ર દ્વારા પંચમહાલ, નડિયાદ અને અમદાવાદ માટે રાઉન્ડ ધ કલોક બસોની વ્યવસ્થા કરવામાં આવી

Updated: Oct 29th, 2021


Google NewsGoogle News
દિવાળી પર્વના તહેવારોમાં જિલ્લાની આઠ ડેપોની 100 થી વધુ એકસ્ટ્રા બસો દોડાવાશે 1 - image

હિંમતનગર તા. 28

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારોમાં મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા એસ.ટી. ડીવીઝન દ્વારા એકસ્ટ્રા બસો સાથે એક્સપ્રેસ બસો દોડાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના અને ગાંધીનગરના માણસા ડેપો મળી કુલ ૮ ડેપોમાંથી ૧૦૦થી વધુ એક્સપ્રેસ બસો દોડાવવામાં આવશે.

 સાબરકાંઠાના હિંમતનગર એસ.ટી. વિભાગ દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને બસમાં મુસાફરી કરતા મુસાફરોની સવલતમાં વધારો થાય તેવા હેતુથી તા. ૩૦ ઓકટોબર થી ૪ નવેમ્બર સુધી સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, મોડાસા, બાયડ, ભીલોડા અને ગાંધીનગરના માણસા ડેપો મળી કુલ ૯ ડેપોમાંથી ૧૦૦ થી વધુ એક્સપ્રેસ બસો પંચમહાલ, નડિયાદ અને અમદાવાદ તરફ અવર જવર કરતા મુસાફરો માટે એક્સટ્રા બસો દોડાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. હિંમતનગર વિભાગના તમામ ડેપો/કન્ટ્રોલ પોંઈન્ટો ખાતેથી રાઉન્ડ ધ બ્લોક બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી બસમાં મુસાફરી કરતા તમામ મુસાફરોને એક્સટ્રા સર્વિસનો લાભ મળી રહેશે.


Google NewsGoogle News