ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિરે કારતકી પૂર્ણિમાંએ અન્નકૂટ ધરાવાશે

- પૂનમે ગુજરાતભરમાં યાત્રિકો ઉમટશે

- છપન્ન ભોગ અન્નકૂટનો લાભ લઇને હજારો માઇભક્તો ધન્યતા અનુભવશે : તૈયારીને આખરી ઓપ

Updated: Nov 16th, 2021


Google NewsGoogle News
ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિરે કારતકી પૂર્ણિમાંએ અન્નકૂટ ધરાવાશે 1 - image

ખેડબ્રહ્મા, તા. 15

ખેડબ્રહ્મા ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબિકા માતાજી મંદિરે કારતકી પુનમે છપન્ન ભોગ અન્નકુટ ધરાવવામાં આવશે. તેમજ કારતકી પુનમનું મહત્વ ખુબ જ હોવાથી ભક્તો મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી આવશે.

ખેડબ્રહ્મા ખાતે આવેલ પૌરાણીક મા આદ્યશક્તિ મંદિરમાં કારતકી સુદ પુનમ ના દર્શન કરવાનું ખુબ જ મહત્વ છે. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ ના મેનેજર ઘનશ્યામસિંહ રહેવરે જણાવ્યું છે કે, ગત વર્ષે કોરોના કારણે મેળો બંધ રહ્યો હતો. તેમજ અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો નહોતો. આ વર્ષે શુક્રવારના રોજ તા. ૧૯/૧૧/૨૦૨૧ ના રોજ મા ના સન્નમુખ છપન્ન ભોગનો અન્નકુટ ધરાવવામાં આવશે.

અન્નકુટના દર્શન ૧ઃ૧૫ કલાક સુધી થઇ શકશે. સવારની આરતી ૬ઃ૩૦ કલાકે રહેશે. તેમજ સાંજની આરતી ૭ કલાકે થશે. કારતકી પુનમનું મહત્વ ખુબ જ હોવાથી ગુજરાતભરમાંથી લોકો આગલી રાતથી જ આવી જાય છે. યાત્રીકોને કોઇ અસુવિધા ઉભી ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી ચે. તેમજ કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે સિક્યુરીટી ગાર્ડ અને પોલીસની વ્યવસ્થા કરવામાં આવી છે. ચિખલા રોડ ઉપર આવેલ નવીન દરવાજામાં પણ વાહનોની અવરજવર માટે વ્યવસ્થા કરવામાં આવી છે.


Google NewsGoogle News