Get The App

પંચમહાલમાં પશુ ચરાવતા આધેડને બાઈક ચાલકે ટક્કર મારી, અકસ્માતમાં બંનેના મોત

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
Accident


Panchmahal Accident Incident : પંચમહાલમાં ગોધરા જતા રોડ નજીક પશુ ચરાવતા આધેડને બાઈક ચાલકે અડફેટે લેતા આધેડ સહિત બાઈક પર સવાર બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે અને આધેડને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જતી વખતે મોત નીપજ્યું. 

ગંભીર અકસ્માતમાં બેના મોત

મળતી માહિતી પ્રમાણે, પંચમહાલના શહેરા તાલુકાના ચલાલી ગામના રહેવાસી બળવંતભાઈ બીજલભાઈ પટેલ (ઉં.વ.65) નાડાથી ગોધરા જતા રોજ નજીકના ડુમેલાવ રોડ પાસે પશુઓ ચરાવતી વખતે બાઈક ચાલકે ટક્કર મારતા તેમનું મોત થયું હતું. અકસ્માતમાં બાઈક ચાલક રાજેશ માલીવાડ નામના યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અકસ્માતમાં બંનેના મોત નીપજ્યાં.

 આ પણ વાંચો : 22 વર્ષ પહેલા પિતાની જે રીતે હત્યા થઈ હતી, એજ રીતથી પુત્રએ લીધો બદલો, એક સવાલથી ઉકેલાયો ગુનાનો ભેદ

પોલીસે ગુનો નોંધી મૃતદેહ પીએમ અર્થે ખસેડાયા

ગંભીર રીતે ઈજાગ્રસ્ત આધેડને 108 મારફતે હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં તેમનું પણ મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને બંને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યાં.


Google NewsGoogle News