Get The App

વિદેશ જવા માંગતા ભારતીયો સાથે નોકરીના નામે નહીં થઈ શકે છેતરપિંડી, જાણો શું છે સરકારનો પ્લાન

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
Indian Govt Law For Migration


Migration Facility of Indian Govt: અમેરિકાથી 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાને લઇને ભારતમાં હોબાળો ચાલી રહ્યો છે. એવામાં રોજગાર માટે વિદેશ જતા ભારતીયોની સુરક્ષા, વ્યવસ્થાપન અને નિયમિતતા માટે સરકાર ટૂંક સમયમાં નવો કાયદો લાવવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈમિગ્રેશન એક્ટ-1983નું સ્થાન આ નવો કાયદો લેશે. 

સરકારી સૂત્રોએ માહિતી આપી છે કે વિદેશ મંત્રાલય આ બિલ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. આ માટે સામાન્ય લોકો પાસેથી પણ સૂચનો માંગવામાં આવશે. આ બિલમાં ઈમિગ્રેશન કાયદાને વધુ કડક બનાવવામાં આવશે. સોમવારે સંસદમાં રજૂ કરાયેલ વિદેશ બાબતોની સંસદીય સમિતિના અહેવાલમાં પણ વર્તમાન કાયદામાં સંપૂર્ણ ફેરફારની ભલામણ કરવામાં આવી છે. જેથી કરીને ભારતીયોના હિતોનું રક્ષણ કરી શકાય.

તમામ માહિતી ઇમિગ્રેશન કાઉન્ટર પર પ્રદાન કરવી આવશ્યક 

કમિટીએ કહ્યું છે કે પંજાબ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં જ્યાંથી મહત્તમ લોકો વિદેશ જાય છે ત્યાં કેટલીક વધુ પ્રોટેક્શન ઑફ ઈમિગ્રન્ટ્સ ઑફિસ બનાવવામાં આવે. ઉપરાંત, વિદેશ જતા ભારતીયોને ઈમિગ્રેશન કાઉન્ટર પર જ તમામ માહિતી પૂરી પાડવી આવશ્યક છે.

સંસદીય સ્થાયી સમિતિએ જણાવ્યું હતું કે સરકાર એક સક્ષમ માળખું બનાવવા માટે નવો કાયદો ઘડવાનું વિચારી રહી છે જે વિદેશમાં રોજગાર માટે સલામત અને નિયમિત સ્થળાંતરને પ્રોત્સાહન આપશે. ઈમિગ્રેશન ઓવરસીઝ મોબિલિટી (સુવિધા અને કલ્યાણ) બિલ, 2024એ રોજગાર માટે વિદેશ જતા લોકોની અવરજવરને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે 1983ના કાયદામાં ફેરફાર કરવાનો પ્રયાસ છે.

પંજાબ-ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં PoE વધારવાની વાત 

સંસદની વિદેશ બાબતોની સમિતિના અહેવાલ બાદ આ બિલ પર ચર્ચા થઈ રહી છે. તેની અધ્યક્ષતા કોંગ્રેસના સાંસદ શશિ થરૂર કરી રહ્યા છે. સ્થળાંતર કરનારાઓને મદદ કરવા માટે વધુ PoE (પ્રોટેક્ટર ઑફ ઈમિગ્રન્ટ્સ) ઓફિસ ખોલવાની ભલામણ કરવામાં આવી છે, ખાસ કરીને એવા રાજ્યોમાં જ્યાં તેઓ પહેલેથી અસ્તિત્વમાં નથી. પંજાબ-ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં PoE વધારવાની વાત પણ થઈ છે.

હાલમાં ક્યાં-ક્યાં છે PoEની ઓફિસ?

મંત્રાલયે જણાવ્યું હતું કે PoE હાલમાં સમગ્ર દેશમાં 14 ઓફિસો ધરાવે છે: મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, ચંદીગઢ, હૈદરાબાદ, કોચી, તિરુવનંતપુરમ, જયપુર, રાયબરેલી, પટના, બેંગલુરુ, ગુવાહાટી અને રાંચીમાં. તેમજ પટના, બેંગલુરુ અને ગુવાહાટીમાં વધારાની PoE ઓફિસ સંપૂર્ણ રીતે કાર્યરત છે. ત્રિપુરા, ભુવનેશ્વર અને અમદાવાદમાં વધારાની ઓફિસ ખોલવાની પણ યોજના છે.

વિદેશ જવા માંગતા ભારતીયો સાથે નોકરીના નામે નહીં થઈ શકે છેતરપિંડી, જાણો શું છે સરકારનો પ્લાન 2 - image


Google NewsGoogle News