ઉંભરાટના દરિયામાં ન્હાવા પડેલા સુરતના તરૂણ સહિત બે લોકોના મોત

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
ઉંભરાટના દરિયામાં ન્હાવા પડેલા સુરતના તરૂણ સહિત બે લોકોના મોત 1 - image

image : Pixabay

Ubhrat Beach Navsari : ઉંભરાટના દરિયામાં કિનારે ગઈકાલે પૂનમની મોટી ભરતી વચ્ચે દરિયાના ઊંડા પાણીમાં ન્હવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. આ વચ્ચે બે અલગ-અલગ બનાવમાં ઉંભરાટના દરિયામાં ડૂબી જતાં સુરતના એક તરૂણ અને બિહારના યુવાન સહિત બે ના કરૂણ મોત નિપજયા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે બંનેની લાશ બહાર કાઢી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સુરતના પાંડેસરા ખાતે આકાશ પુથ્વી ભીમ નગર આવાસ ખાતે રહેતા મૂળ બિહારના વતની એવા ફેકુકુમાર સુરેન્દ્રભાઈ પાસવાન (ઉ.વર્ષ.22) છૂટક મજૂરી કામ કરતો હતો. ગઈકાલે રક્ષાબંધન પર્વની નિમિતે રજા હોય ફેકુકુમાર તેના મિત્રો સાથે ઉમરાટના દરિયા કિનારે ફરવા આવ્યો હતો અને સાંજે ફેકુકુમાર તેના મિત્રો સાથે દરિયામાં નાહવા પડતા દરિયાના તોફાની મોજા અને મોટી ભરતીના પાણીમાં ફેકુકુમાર તણાય જઈ ડૂબી જતાં કરૂણ મોત નિપજયુ હતું. ફેકુકુમારને ડૂબતા જોઈ તેના મિત્રો ભયભીત બની બહાર નીકળી ગયા હતા. અને પોલીસને જાણ કરતા પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢી હતી. આ બનાવ અંગે મરોલી પોલીસમાં મારનાર ફેકુકૂમારના પિતા સુરેન્દ્રભાઈ ભુંનેશ્વર પાસવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં સુરતના ડુમાલ ટેનામેન્ટ પાછળ, ઓમ નગર સોસાયટી, ખાતે રહેતો કિશન અંસાર અહેમદ અંસારી (ઉં.વર્ષ.17) ઉંભરાટના દરિયા કિનારે આજે બપોરે તેના મિત્રો ઇસરાર અહેમદ અનસારી, અંસાર સલીમ અન્સારી, રિઝવાન અન્સારી, હસીન રિઝવાન અન્સારી, સમીમ અન્સારી અને દિલસાદ અન્સારી વિગેરે સાથે આજે રાજ હોવાથી ઉંભરતાં દરિયા કિનારે હરવા ફરવા આવ્યા હતા. અને મોજ મસ્તી કરી દરિયામાં નહવા પડ્યા હતા. દરમિયાન જીશાન દરિયામાં પૂનમની મોટી ભરતી વચ્ચે ઊંડા પાણીમાં ડૂબી જતાં લાપતા બન્યો હતો. તેના મિત્રો દરિયામાંથી બહાર આવી ગયા બાદ જીશાનનું શોધખોળ કરતા ક્યાંય પત્તો મળ્યો ન હતો. આથી ભયભીત બની શોધખોળ કરવા લાગ્યા રક્ષાબંધનની રજા માણવા દરિયા કિનારે આવેલા હજારો સેહલાણીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દરમિયાન પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી જીશાનની લાશ બહાર કાઢી હતી. અને આ નહિ જીશાનના પિતાને જાણ કરતા તેઓ તાત્કાલિક ઉંભરાટ દોડી આવ્યા હતા.

આ બનાવ અંગે મરોલી પોલીસમાં અંસારભાઈ એહમદભાઈ અન્સારીએ પોતાના પુત્રના મોત અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ ડી.પી.પટેલ કરી રહ્યા છે. આમ ઉંભરાટનો દરિયા કિનારે સેહલાણીઓ માટે વધી એક વાર ગોઝારો સાબિત થયો હતો. રક્ષાબંધન શ્રાવણી પૂનમના દિવસે હજારો સેહલાણીઓ વચ્ચે સુરતના તરૂણ સહિત બે બે વ્યક્તિઓના મોતની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.


Google NewsGoogle News