Get The App

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ છૂટાછેડા લીધા, ફેમિલી કોર્ટમાં પૂર્ણ થઈ કાયદાકીય પ્રક્રિયા

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ છૂટાછેડા લીધા, ફેમિલી કોર્ટમાં પૂર્ણ થઈ કાયદાકીય પ્રક્રિયા 1 - image


Dhanashree-Yuzvendra Divorce: જાણીતા ક્રિકેટર અને સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને તેમની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડાને કાયદેસર રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. છૂટાછેડાની કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ કરવા યુઝવેન્દ્ર અને ધનશ્રી મુંબઈના બાંદ્રા સ્થિત ફેમિલી કોર્ટમાં ગયા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંને આજે સાંજે 4 વાગ્યે ન્યાયાધીશ સમક્ષ હાજર થયા હતા. જ્યાં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી. 

આ પણ વાંચો: હવે 'શીશમહેલ'નું શું થશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કરી દીધી ચોંકાવનારી જાહેરાત

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. બંનેને આજે ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે ફેમિલી કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં બધી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે. જોકે, યુઝવેન્દ્ર કે ધનશ્રી બંનેમાંથી કોઈએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ તે બંને ઘણીવાર તેમના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ કરતાં જોવા મળે છે.

યુઝવેન્દ્ર ચહલની પોસ્ટ

ગઈકાલે, યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું, 'હું જેટલો બચી શકતો હતો, ભગવાન મને તેનાથી વધારે બચાવ્યો છે. મારી સાથે હોવા બદલ ભગવાન તમારો ખૂબ આભાર, મને ખબર નથી કે તમે મારી સાથે છો.'

આ પણ વાંચો: પાલતુ કૂતરાને જોઈ ગભરાયું બાળક તો મહિલાએ લિફ્ટમાંથી ખેંચી ઢોર માર માર્યો, CCTV વાઇરલ થતાં આક્રોશ

ધનશ્રીએ પણ જવાબ આપ્યો

યુઝવેન્દ્રની ઇન્સ્ટા સ્ટોરીના એક કલાક પછી, ધનશ્રીએ પણ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી. તેમાં તેણે લખ્યું, 'તણાવગ્રસ્તથી ભાગ્યશાળી સુધી." ભગવાન ચિંતાઓને ખુશીમાં કેવી રીતે ફેરવે છે તે ખૂબ જ અદ્ભુત છે. જો તમે કોઈ બાબતને લઈને તણાવમાં છો તો તમારે જાણવું જોઈએ કે તમારી પાસે એક વિકલ્પ છે. તમે કાં તો તણાવ લઈ શકો છો અથવા તેને ભગવાનને સમર્પિત કરી શકો છો. ભગવાન તમારા ભલા માટે બધું એકસાથે કરી શકે છે એ માનવામાં શક્તિ છે.'



Google NewsGoogle News