'જો આંબેડકર જીવતા હોત તો હું તેમને મારી નાખત....' એવી ટિપ્પણી કરનાર યુવકની તેલંગાણાથી ધરપકડ
આ વ્યક્તિની ઓળખ હમારા પ્રસાદ નામે થઈ હતી
વીડિયો વાઈરલ થતાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધી
image : Twitter |
નવી દિલ્હી, તા 11, ફેબ્રુઆરી, 2023, શનિવાર
ડૉ. બી.આર.આંબેડકર વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવાના આરોપ હેઠળ તેલંગાણામાં એક યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. આ વ્યક્તિની ઓળખ હમારા પ્રસાદ નામે થઈ હતી. તેણે એક વીડિયો રેકોર્ડ કર્યો હતો જેમાં તે ડૉ. બી.આર. આંબેડકર વિરુદ્ધ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી રહ્યો છે.
ఒక వైపు ఓట్ల కోసం రోజూ అంబేద్కర్ జపం చేస్తున్న @BRSparty ఈ హమారాప్రసాద్ లాంటి మూర్ఖులు ‘బాబాసాహెబ్ బతికుంటే కాల్చి చంపేవాడిని’ అని కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసినా మీరు ఎందుకు వీడిని IPC153A,PD Act కింద జైలులో పెట్టడం లేదు?రాష్ట్రం అగ్నిగుండం అయ్యే దాకా ఆగుతరా? pic.twitter.com/DfRZpEHi7O
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) February 9, 2023
પોલીસે કરી કાર્યવાહી
તેણે ડૉ. બી.આર. આંબેડકર દ્વારા લખવામાં આવેલા એક પુસ્તકને હાથમાં લઇને કહ્યું કે હું આંબેડકરને એવી જ રીતે હત્યા કરી દેત જે રીતે ગોડસેએ ગાંધીજીને ગોળી મારી હતી. જોકે સોશિયલ મીડિયા પર તેના દ્વારા આવી ટિપ્પણી કરવાનો વીડિયો વાઈરલ થતાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
રાજકારણ પણ ગરમાયું
જોકે આ વીડિયો વાઈરલ થયા બાદ રાજકારણ પણ ગરમાયું હતું. તેલંગાણા બસપાના પ્રમુખ આર.એસ.પ્રવીણ કુમારે કહ્યું કે હમારા પ્રસાદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 153એ અને 505 (2) હેઠળ કેસ નોંધાયો હતો. પ્રવીણ કુમારે બીઆરએસ પાર્ટી પર નિશાન તાકતાં ટ્વિટ કરી કે એક તરફ બીઆરએસ પાર્ટી આંબેડકરના વોટ માટે રોજ જાપ કરી રહ્યા છે. તો પછી હમારા પ્રસાદ જેવા મૂર્ખને જેલમાં કેમ નાખી દેતા નથી.