'મૃત' માનવામાં આવેલી મહિલાએ અગ્નિદાહ પહેલા અચાનક આંખ ખોલી : જીવંત નીકળી, છેલ્લી મિનિટે બચી ગઈ

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
'મૃત' માનવામાં આવેલી મહિલાએ અગ્નિદાહ પહેલા અચાનક આંખ ખોલી : જીવંત નીકળી, છેલ્લી મિનિટે બચી ગઈ 1 - image


- આ શું એક ચમત્કાર હતો ?

- હવે તે મહિલાને એમ.કે.સી.જી. મેડિકલ કોલેજની હોસ્પિટલમાં ફરી દાખલ કરી સારવાર અપાઈ રહી છે

બહેરામપુરા (ઓડીશા) : ઘરમાં લાગેલી આગને પરિણામે સખત દાઝી ગયેલી એક બાવન વર્ષીય મહિલાને મૃત માની કુટુંબીજનો અહીંના (બહેરામપુરાનાં) સ્મશાન ઘાટ ઉપર લઈ ગયા. ત્યાં તેને ચિતા ઉપર મુકી અને ચિતાને આગ લગાડતાં પૂર્વે થોડી ક્ષણોએ જ તે મહિલાએ આંખો ખોલી આથી સૌ કોઈ ચોંકી ગયા હતા. ત્યાં તે મહિલાએ વાતચીત શરૂ કરી. તેથી તેને પાછી ઘરે લઈ આવ્યા અને તે પછી તુર્ત જ તેને અહીંની એમકેસીજી હોસ્પિટલમાં ફરી દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે.

આ અંગે સમગ્ર ઘટનાક્રમ તેઓ છે કે, ૧લી ફેબુ્રઆરીએ ઘરમાં લાગેલી આગને લીધે તે મહિલા ૫૦ ટકા જેટલી દાઝી ગઈ હતી. તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલા ગરીબ પરિવારની છે. હોસ્પિટલનાં સૂત્રોએ તેને બીજી વધુ સારી સારવાર માટે રીફર કરી ત્યારે તે પરિવાર પાસે પૂરતા પૈસા ન હતા. ત્યારે પણ તે મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી રહી.

મહિલાના પતિ શિવરામ પાવોએ કહ્યું, કે સોમવારથી તે પોતાની આંખો ઊઘાડતી ન હતી. તેવું પણ લાગતું હતું કે તે શ્વાસ પણ લેતી નથી. અમે માન્યું કે તેનું નિધન થયું છે. પછી આસપાસના લોકોને બોલાવી સ્મશાને લઈ ગયા. ત્યાં ચિતા ખડકી તેની ઉપર સુવડાવી દીધી. આ કહેતાં શિવરામ ભાવુક બની જતાં તેમના પાડોશી ચિરંજીવીએ કહ્યું, ચિતા લગભગ તૈયાર થઇ ગઈ હતી. અગ્નિ મુકવાની જ વાર હતી. ત્યાં તેમણે આંખો ખોલી, પહેલા તો અમે ચોંકી ગયા પરંતુ તેની સાથે વાત કરતાં તેણે જવાબ આપ્યો. આ એક ચમત્કાર જ હતો. અમે તેને ઘરે લઈ ગયા. પછી હોસ્પિટલમાં ફરી દાખલ કરી સારવાર શરૂ કરાવી છે.


Google NewsGoogle News