પૂણે: જન્મદિવસ પર દુબઈ ન લઈ જતા પત્નીએ પતિને ઉતાર્યો મોતને ઘાટ

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News


પૂણે: જન્મદિવસ પર દુબઈ ન લઈ જતા પત્નીએ પતિને ઉતાર્યો મોતને ઘાટ 1 - image

Image Source: Freepik

- પોલીસે રેણુકા વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી

પૂણે, તા. 25 નવેમ્બર 2023, શનિવાર

મહારાષ્ટ્રના પૂણેથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ત્યાં એક પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે. કારણ માત્ર એટલું જ હતું કે, તે તેને જન્મદિવસ પર દુબઈ ન લઈ ગયો. આ ઘટના શુક્રવારે પૂણેના વનાવડી વિસ્તારમાં ઓક પોશ આવાસીય સોસાયટીમાં સ્થિત એપાર્ટમેન્ટમાં બની હતી. પત્ની પોતાના જન્મદિવસ પર ગીફ્ટ તરીકે દુઈ જવા ઈચ્છતી હતી. જ્યારે પતિ તેની ઈચ્છા પૂરી કરવામાં અસમર્થ રહ્યો તો મહિલાએ ઝઘડો શરૂ કરી દીધો. મામલો ત્યારે ગંભીર બન્યો જ્યારે પત્નીએ પતિને માર માર્યો. 

મૃતકની ઓળખ કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીના કારોબારી નિખિલ ખન્ના તરીકે થઈ છે. નિખિલ ખન્નાએ 6 વર્ષ પહેલા રેણુકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ઘટનાની સૂચના મળતા જ વનાવડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આરોપી પત્ની રેણુકાની ધરપકડ કરી લીધી હતી. 

પોલીસે શું જણાવ્યું

વનાવડી પોલીસ સ્ટેશનમાં તૈનાત એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના શુક્રવાર બપોરની છે. બંને વચ્ચે એ વાત અંગે ઝઘડો થયો હતો કે, નિખિલ રેણુકાને તેનો જન્મદિવસ ઉજવવા માટે દુબઈ ન લઈ ગયો અને તેને મોંઘી ગીફ્ટ ન આપી. રેણુકા નિખિલથી એ વાત પર પણ નારાજ હતી કે, તેણે તેને કોઈક સબંધીનો જન્મદિવસ મનાવવા માટે દિલ્હી જવાની મંજૂરી નહોતી આપી.

બેભાન થઈ ગયો હતો પતિ

પોલીસે જણાવ્યું કે, લડાઈ દરમિયાન રેણુકાએ નિખિલના ચેહરા પર મુક્કા માર્યા હતા. મુક્કા એટલા જોરદાર હતા કે, નિખિલનું નાક અને કેટલાક દાંત તૂટી ગયા હતા. લોહી વધારે નીકળી જવાથી નિખિલ બેભાન થઈ ગયો હતો. પોલીસે રેણુકા વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી છે. 


Google NewsGoogle News