Get The App

જ્યારે વડાપ્રધાન ટાટાથી થયા નારાજ, વાત રાજીનામા સુધી પહોંચી, પછી રાજીવ ગાંધીએ...

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
જ્યારે વડાપ્રધાન ટાટાથી થયા નારાજ, વાત રાજીનામા સુધી પહોંચી, પછી રાજીવ ગાંધીએ... 1 - image


Image: Facebook

Ratan Tata: રતન ટાટાએ પોતાના કરિયર દરમિયાન તત્કાલીન પીએમ વી.પી. સિંહની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. વાત ટાટાના રાજીનામા સુધી પહોંચી ગઈ હતી. તેઓ રાજીનામું આપવાનું મન બનાવી ચૂક્યા હતા, પરંતુ રાજીવ ગાંધીએ આવું થવા દીધું નહીં. આ ખુલાસો પોતે રતન ટાટાએ કર્યો હતો. 

વાત તે દિવસોની છે જ્યારે રતન ટાટાને એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના ચેરમેન બનાવવામાં આવ્યા. તેમણે કહ્યું, 'હું ત્રણ વર્ષ સુધી એર ઈન્ડિયામાં હતો. તે ખૂબ મુશ્કેલીભર્યા વર્ષો હતા, કેમ કે તે દરમિયાન એર ઈન્ડિયાનું ખૂબ વધુ રાજનીતિકરણ થયુ હતુ. આ વિશે આપણે વાત કરીશું નહીં. તે સમય ખૂબ જ મુશ્કેલીભર્યો હતો અને અલગ-અલગ વિચાર હતા. હું રાજીનામું આપવા ઈચ્છતો હતો, પરંતુ રાજીવે આવું થવા દીધું નહીં. તેથી જે દિવસે તેમણે સત્તા ગુમાવી દીધી, મે પદ છોડી દીધું. મને લાગે છે કે મે વી.પી.સિંહને નારાજ કર્યા હતા, તેઓ સત્તામાં આવ્યા અને તેમણે વિચાર્યું હશે કે આ તેમના નેતૃત્વ પર એક પ્રતિબિંબ હતુ, પરંતુ આવું નહોતું. આ માત્ર એર ઈન્ડિયાના રાજકીય ઉતાર-ચઢાવથી દૂર હોવાનો મુદ્દો હતો. પછી તે દરમિયાન મારા મગજમાં બાબતો થોડી ધૂંધળી થઈ ગઈ.'

વી.પી સિંહ સરકારની સાથે ટક્કર

વી.પી. સિંહ સરકારની સાથે ટક્કર થઈ, જ્યારે જેઆરડી ટાટાએ વી.પી.સિંહને Tata Zug પર ફોરેક્સ ઉલ્લંઘનના આરોપો વિશે એક આકરો પત્ર લખ્યો. રતન ટાટાએ જણાવ્યું કે 'ભૂરે લાલ (ભૂતપૂર્વ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર, ફોરેન એક્સચેન્જ) એક તપાસની લીડ કરી રહ્યાં હતા. મને નથી લાગતું કે અમે કંઈ ખોટું કર્યું અને સાથે જ બધો જ ખુલાસો કરવામાં આવ્યો. આ એક મુદ્દો હતો કે શું માતા-પિતાની સંતાન કે મૂળ કંપનીના પૌત્રને પણ રજિસ્ટ્રેશન માટે રિઝર્વ બેન્કની સ્વીકૃતિ/અનુમતિની જરૂર છે કે નહીં. આ મુદ્દો ક્યારેય સાબિત થયો નહીં, કેમ કે તેમને આવું કંઈ પણ મળ્યુ નહીં, જેનો અમે ખુલાસો કર્યો નહોતો. મને લાગે છે કે આ મુદ્દો ટાટાના બદલે ભારતીય હોટલોની આસપાસ વધુ ફરતો હતો કેમ કે તે સમયે ભારતીય હોટલોની ઘણી બધી વિદેશી કામગીરી હતી. આમ તો તે બાદ 1991 સુધી મારા મગજમાં બાબતો ધૂંધળી થઈ ગઈ.'

રાજીવ ગાંધી સાથે વિચારોની આપ-લે કરતા હતા

રતન ટાટાએ કહ્યું, 'હું ભાગ્યશાળી હતો કે મને રાજીવ ગાંધીની સાથે વિચારોની આપ-લે કરવા અને તે લોકોના નાના જૂથનો ભાગ બનવાની તક મળી. જેને તે સમયાંતરે તેમાંથી અમુક બાબતો પર મત લેવા માટે બોલાવતા હતા. તે સમયે તેમણે મને એર ઈન્ડિયાના ચેરમેન બનાવ્યા. સરકારમાં થનારી ઘણી બાબતોની જેમ મને ક્યારેય પૂછવામાં આવ્યુ નહીં. રાહુલ બજાજને ઈન્ડિયન એરલાઈન્સના ચેરમેન બનાવવામાં આવ્યા. હું ભારતમાં હતો પરંતુ રાહુલ વિદેશમાં હતાં. અમને એ પણ જણાવાયું નહીં કે અમને ચેરમેન બનાવવામાં આવી રહ્યાં છે.'


Google NewsGoogle News