Get The App

લોકસભા બાદ આજે રાજ્યસભામાં વક્ફ (સુધારા) બિલ અંગે મોદી સરકારની અગ્નિ પરીક્ષા

Updated: Apr 3rd, 2025

GS TEAM


Google News
Google News
Waqf Bill in Rajya Sabha today


Waqf Bill in Rajya Sabha today: કેન્દ્ર સરકારે વક્ફ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજુ કર્યું હતું, જેના પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ધારદાર દલીલો થઇ હતી. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને આ બિલનો વિરોધ કર્યો હતો જ્યારે એનડીએના પક્ષોએ બિલનું સમર્થન કર્યું હતું. બિલને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ દ્વારા રજુ કરાયું હતુ અને ચર્ચાના અંતે આ બિલ લોકસભામાં પસાર થયું હતું અને આજે ગુરૂવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જો કે કેન્દ્ર સરકારને રાજ્યસભામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. NDAમાં સામેલ JDU, TDP, શિવસેના (એકનાથ શિંદે) અને NCPને સમર્થન મળશે.

સંસદીય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ આજે બપોરે 1 વાગ્યે રાજ્યસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કરશે. હાલમાં રાજ્યસભામાં 236 સાંસદો છે, જેના કારણે અહીં બહુમત માટે 119 સાંસદોનું સમર્થન જરૂરી છે. રાજ્યસભામાં ભાજપના 98 સાંસદો છે.

રાજ્યસભામાં શું છે નંબર ગેમ?

સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં 236 સભ્યો છે. આમાં ભાજપની સંખ્યા 98 છે. જો ગઠબંધન પર નજર કરીએ તો એનડીએના સભ્યોની સંખ્યા 115ની આસપાસ છે. જો આપણે સામાન્ય રીતે સરકારની તરફેણમાં મત આપનારા છ નોમિનેટેડ સભ્યોને પણ ઉમેરીએ તો એનડીએ 121 સુધી પહોંચે છે, જે બિલ પસાર કરવા માટે જરૂરી 119 કરતાં બે વધુ છે. 

રાજ્યસભામાં કોંગ્રેસના 27 સભ્યો અને ભારતીય બ્લોકના અન્ય ઘટક પક્ષોના 58 સભ્યો છે. એકંદરે વિપક્ષ પાસે 85 સાંસદો છે. રાજ્યસભામાં YSR કોંગ્રેસના 9, BJDના 7 અને AIADMKના 4 સભ્યો છે. નાના પક્ષો અને અપક્ષો સહિત 3 સભ્યો એવા છે જે ન તો શાસક ગઠબંધનમાં છે કે ન તો વિપક્ષના ગઠબંધનમાં છે.

કિરેન રિજિજુએ 8 ઓગસ્ટ, 2024ના રોજ લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતું, જેને વિપક્ષના હોબાળા બાદ સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવ્યું હતું. જગદંબિકા પાલની આગેવાની હેઠળની જેપીસીના અહેવાલ બાદ કેબિનેટ દ્વારા આ સંબંધિત સંશોધિત બિલને મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: મહિને માંડ 8-15 હજાર કમાતા શ્રમિકોને આવકવેરા વિભાગે 33 કરોડ રૂપિયાની નોટિસ ફટકારતાં હડકંપ

આ પહેલા વક્ફ સંશોધન બિલ લોકસભા દ્વારા પસાર થઈ ચૂક્યું છે. વક્ફ સુધારા બિલ પર લોકસભામાં મતદાન થયું, જેમાં કુલ 464 મતોમાંથી 288 તરફેણમાં અને 232 વિપક્ષમાં પડ્યા. લોકસભામાં વક્ફ સુધારા બિલ પર 12 કલાકથી વધુ સમય સુધી ચર્ચા ચાલી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને વિપક્ષી સાંસદોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલવામાં આવશે.

લોકસભા બાદ આજે રાજ્યસભામાં વક્ફ (સુધારા) બિલ અંગે મોદી સરકારની અગ્નિ પરીક્ષા 2 - image

Tags :