Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં દેશમાં પહેલી વખત આ નાગરિકો માટે ઘરે બેઠાં મતદાનની સુવિધા, જાણો પ્રક્રિયા

85 વર્ષથી વધુ વયના મતદારો માટે ખાસ વ્યવસ્થા કરાશે, ઘરેથી પણ કરી શકશે મતદાન

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં દેશમાં પહેલી વખત આ નાગરિકો માટે ઘરે બેઠાં મતદાનની સુવિધા, જાણો પ્રક્રિયા 1 - image


Lok Sabha Election 2024 : ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણીની તારીખો સાથેની જાહેરાત કરતાં કહ્યું કે ભારતમાં ચૂંટણી માટે 55 લાખથી વધુ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે અને દોઢ કરોડ અધિકારીઓ આ કામમાં જોડાશે. તમામ પોલિંગ બૂથ પર પીવાનું પાણી, ટોઇલેટ અને વ્હીલચેરની પાયાની સુવિધાઓ આપવામાં આવશે. મતદાનની ટકાવારી વધારવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. 85 વર્ષથી વધુ વયના મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે, તેઓ ઘરેથી પણ મતદાન કરી શકશે. 

85 વર્ષથી વધુ અને વિકલાંગ લોકો માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિશદમાં વાત કરતાં કહ્યું કે, અમે 85 વર્ષથી વધુ વય ધરાવતા તમામ મતદારો અને વિકલાંગ મતદારોના મત તેમના ઘરે જઈને લઈશું. અને તેના નોમિનેશન પહેલા તેમના ઘરે ફોર્મ પહોંચાડવામાં આવશે. આ સિસ્ટમ સમગ્ર દેશમાં એક સાથે લાગુ કરવામાં આવશે.

 ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં મહત્ત્વની વાતો

• પારદર્શક ચૂંટણી યોજવા માટે અને તમામ પડકારોને ઝીલવા ચૂંટણી પંચ આ 4M પર ધ્યાન આપશે

• ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોએ અખબારોમાં તેમની વિગતો પ્રકાશિત કરાવવી પડશે.

• ચૂંટણી પ્રક્રિયામાં કાગળનો ઉપયોગ લઘુતમ કરવામાં આવશે.

• 85 વર્ષથી વધુ વયના મતદારોને ઘરેથી મતદાન કરવાની સુવિધા અપાશે.

 બે વર્ષથી ચૂંટણીના આયોજન માટે તૈયારી કરવામાં આવી રહી હતી.

 દરેક બુથ પર પીવાનું પાણી, ટોયલેટની વ્યવસ્થા પણ હશે.

• 12 રાજ્યોમાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ.

• 82 લાખ મતદાતાઓ 85 વર્ષથી ઉપરના, જ્યારે 2.38 લાખ મતદાતા 100 વર્ષથી ઉપરના.

• આ વખતે 1.82 કરોડ મતદારો પહેલીવાર મતદાન કરશે.

• 10.5 લાખ પોલિંગ બૂથ હશે અને કુલ 1.5 કરોડ કર્મચારીઓ ચૂંટણીના કામમાં જોડાશે.

• આ વખતે દેશમાં 97 કરોડ મતદારો.

કઈ બાબતો પર નજર રાખે છે ચૂંટણી પંચ

છેલ્લી ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે તત્કાલીન કમિશનર અશોક લવાસાએ એ બાબતોના સંકેત આપ્યા હતા કે, તારીખો નક્કી કરવામાં કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. 2019ની તારીખોનું એલાન કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે ચૂંટણીની તારીખો માટે પરીક્ષાઓની તારીખો, તહેવારો, પાકની મોસમ અને હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતીને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. એટલે કે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને તારીખો નક્કી કરવામાં આવી છે.

સુરક્ષા માટે સુરક્ષા દળોની ઉપલબ્ધતા

1996ની તારીખોનું એલાન કરતી વખતે ટીએન શેષને પોતાની 4 પ્રાથમિકતાઓ વિશે જણાવ્યું હતું જે શાંતિપૂર્ણ, નિષ્પક્ષ, મુક્ત અને હિંસા મુક્ત ચૂંટણી હતી. એનો અર્થ એ કે, તેનો સંપૂર્ણ ભાર સુરક્ષા પર હતો. ત્યારથી અત્યાર સુધીમાં સુરક્ષા સાથે સબંધિત સ્થિતિઓ ખૂબ જ સારી બની ચૂકી છે પરંતુ હજુ પણ સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે. તેના માટે સુરક્ષાદળોની પર્યાપ્ત તૈનાતી કરવામાં આવે છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ


Google NewsGoogle News