નવા સંસદ ભવનના દ્વાર પર ઉપરાષ્ટ્રપતિએ તિરંગો ફરકાવ્યો, લોકસભા અધ્યક્ષ પણ રહ્યા હાજર

આ ખાસ કાર્યક્રમ વિશ્વકર્મા જયંતી પર રાખવામાં આવ્યો

કોંગ્રેસ અધ્યક્ષ કાર્યક્રમમાં સામેલ ન હતા

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
નવા સંસદ ભવનના દ્વાર પર ઉપરાષ્ટ્રપતિએ તિરંગો ફરકાવ્યો, લોકસભા અધ્યક્ષ પણ રહ્યા હાજર 1 - image


આવતીકાલથી શરુ થનાર વિશેષ સત્રના એક દિવસ પહેલા આજે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડેએ નવા સંસદ ભવનના દ્વાર પર તિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. આ ખાસ કાર્યક્રમ વિશ્વકર્મા જયંતી પર રાખવામાં આવ્યો છે.

વિશેષ સત્ર જુના સંસદ ભવનમાં શરુ થશે

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ આજે સવારે 9.30 કલાકે નવી સંસદના દ્વાર પર પહોંચીને તિરંગો ફરકાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આવતીકાલે વિશેષ સત્ર જુના સંસદ ભવનમાં શરુ થશે અને ત્યારબાદ નવી સંસદમાં ચાલશે, આ નવી સંસદમાં આયોજિત થનાર પહેલુ સત્ર હશે જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીએ મે મહિનાની 28મી તારીખે કર્યું હતું.

આ કાર્યક્રમમાં મલ્લિકાર્જુન ખડગે સામેલ ન હતા

હાલ કોંગ્રેસની CWCની બેઠક હૈદરાબાદ ખાતે ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષે રાજ્યસભાના મહાસચિવને એક ચિઠ્ઠી લખીને જણાવ્યું હતું કે તે આ ધ્વજારોહણના કાર્યક્રમમાં સામેલ રહેશે નહીં, હાલ તેઓ હૈદરાબાદ ખાતે  CWCની બેઠકમાં હાજર છે.


Google NewsGoogle News