મા વૈષ્ણોદેવીની પવિત્ર યાત્રામાં હેલિકોપ્ટર સેવા શરૂ, જાણો બુકિંગના તમામ નિયમો

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
મા વૈષ્ણોદેવીની પવિત્ર યાત્રામાં હેલિકોપ્ટર સેવા શરૂ, જાણો બુકિંગના તમામ નિયમો 1 - image

-હિમાલયના આકર્ષક દ્રશ્યો વચ્ચે ઝડપી અને વધુ આરામદાયક મુસાફરી ઇચ્છતા લોકો માટે, હેલિકોપ્ટર સેવા એ સારો ઓપ્શન 

નવી મુંબઇ,તા. 9 ડિસેમ્બર 2023, શનિવાર

વૈષ્ણોદેવીની પવિત્ર યાત્રા દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે. જો કે શ્રદ્ધાળુઓ કુલ 13 કિમીની આ યાત્રા પગપાળા જ પૂર્ણ કરે છે, પરંતુ ઘણા લોકો છે જે આ મુશ્કેલ યાત્રા પગપાળા પૂર્ણ કરી શકતા નથી.

હિમાલયના આકર્ષક દ્રશ્યો વચ્ચે ઝડપી અને વધુ આરામદાયક મુસાફરી ઇચ્છતા લોકો માટે, હેલિકોપ્ટર સેવા એ સારો ઓપ્શન છે. જે લોકો ખાસ કરીને વૃદ્વો પગપાળા મા ના દર્શન નથી કરી શકતા તેવા લોકો માટે હવે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. 

જાણો કઇ રીતે બુક કરી શકાશે હેલિકોપ્ટર સેવા અને બુકિંગના નિયમો 

બુકિંગ મોડ:

હેલિકોપ્ટર ટિકિટ બુક કરવાની બે રીત છે:

મા વૈષ્ણોદેવીની પવિત્ર યાત્રામાં હેલિકોપ્ટર સેવા શરૂ, જાણો બુકિંગના તમામ નિયમો 2 - image

1. ઓનલાઈન બુકિંગ:

  • શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://online.maavaishnodevi.org/ પર જવુ 
  • હેલિકોપ્ટર સર્વિસ' ઓપ્શનને સિલેક્ટ કરો અને જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ હોય તો લોગિન અથવા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરીને આગળ વધો. 
  • તમારી ઇચ્છિત મુસાફરીની તારીખ, માર્ગ મુસાફરોની સંખ્યા અને પસંદગીનો સમય પસંદ કરો.
  • પેસેન્જરની માહિતી આપો અને પેમેન્ટની સુચનાઓનું પાલન કરો. ત્યારપછી તમને તમારી ઈ-ટિકિટ સાથે એક કન્ફર્મેશન ઈમેલ પ્રાપ્ત થશે.

2. ઑફલાઇન બુકિંગ:

  • કટરા ખાતેના હાલના હેલી-ટિકિટ કાઉન્ટર પર ઑફલાઇન ખરીદી માટે મર્યાદિત ટિકિટ ઉપલબ્ધ છે.
  • આ કાઉન્ટર વહેલા તે પહેલાના ધોરણે ચાલે છે.
  • તમામ મુસાફરોએ માન્ય આઈડી પ્રૂફ સાથે રાખવા જરૂરી છે.

હેલિકોપ્ટર બુકિંગ માટેનો સમય:

  • ઓનલાઈન બુકિંગ: મુસાફરીની તારીખના 60 દિવસ પહેલા દરરોજ સવારે 10:00 વાગ્યે ખુલે છે.
  • ઑફલાઇન બુકિંગ: કાઉન્ટર દરરોજ સવારે 7:00 વાગ્યે ખુલે છે
  • હેલિકોપ્ટર સેવાઓ: વાતાવરણને અનુકુળ દરરોજ સવારે 7:00 થી સાંજના 5:00 વાગ્યા સુધીનો હોય છે. 

હેલિકોપ્ટર પ્રવાસ માટે કિંમત:

કટરાથી સાંજીછત સુધીનું વન-વે ભાડું અથવા તેનાથી વિપરીત વ્યક્તિ દીઠ રૂ. 2100 છે.

કટરાથી સાંજીછટ સુધીની દ્વિ-માર્ગી ટિકિટ 4200 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. 

2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ સુવિધા નિ:શુલ્ક છે અને આ બાળકોને પુખ્ત વયના લોકોના ખોળામાં મુસાફરી કરવી પડશે.

મહત્વની માહિતી:

  • હેલિકોપ્ટર સેવા માટે હવામાન સાનુકૂળ હોય તે જરૂરી છે. ખરાબ હવામાનને કારણે રદ થવાના કિસ્સામાં, સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.
  • તમામ મુસાફરોએ તેમની સાથે માન્ય ફોટો પ્રૂફ રાખવા જોઈએ.
  • સીટ વગરના 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ટિકિટની જરૂર નથી.
  • બુકિંગ એક સમયે મહત્તમ 5 મુસાફરો માટે કરી શકાય છે.
  • નિર્ધારિત પ્રસ્થાન સમયના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા હેલિપેડને રિપોર્ટ કરો. 
  • તબીબી સ્થિતિ ધરાવતા મુસાફરોએ શ્રાઈન બોર્ડ પાસેથી મુસાફરી માટે પૂર્વ મંજૂરી લેવી પડશે.

Google NewsGoogle News