17 દિવસ સુધી સુરંગમાં શ્રમિકો કેવી રહ્યા રહ્યા ફિટ? સામે આવી શ્રમિકોની મહત્વની વાત

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
17 દિવસ સુધી સુરંગમાં શ્રમિકો કેવી રહ્યા રહ્યા ફિટ? સામે આવી શ્રમિકોની મહત્વની વાત 1 - image

ઉત્તરાખંડના ઉત્તરકાશીના સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કઢાયા છે. તમામ શ્રમિકોને વિશ્વાસ હતો કે આજે નહીં તો કાલે તે આ મુશ્કેલીમાંથી ચોક્કસ બહાર આવી જઈશું. અંતે તેઓ સુરક્ષિત બહાર આવી ચૂક્યા છે. ત્યારે આ શ્રમિકો પોતાનું મનોબળ જાળવી રાખવા અને ફીટ રહેવા માટે કેટલીક એક્ટિવિટી કરતા રહ્યા હતા. તેઓ યોગ અને એકબીજાની વચ્ચે હસવાનો અને હસવાનો પ્રયાસ કર્યો હતો. મહત્વનું છે કે, આ શ્રમિકોને બચાવવા માટે સતત 17 દિવસ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું છે. દેશભરમાં તેમના માટે પ્રાર્થનાઓ થઈ હતી. અંતે મહેનત અને પ્રાર્થના રંગ લાવી છે.

સુરંગમાં ફસાયેલા શ્રમિક ગબરસિંહ નેગીના ભાઈએ જણાવ્યું હતું કે, ટનલમાં ફસાયેલા ભાઈ સાથે વાત થઈ હતી. ત્યારે જાણવા મળ્યું કે, ભાઈ અને અન્ય શ્રમિકો અંદર ફસાયેલા હોવા છતાં તેમનું મનોબળ ઊંચુ હતું.

યોગ દ્વારા ફિટ રહેવાનો પ્રયાસ કર્યો

નેગીના જણાવ્યા અનુસાર, સુરંગની અંદર શ્રમિકોએ પોતાને ફિટ અને સ્વસ્થ રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યા. તેઓ જાણતા હતા કે સંસાધનો મર્યાદિત છે, તેથી તેમણે સ્વસ્થ રહેવા માટે પોતાના પ્રયત્નો કરવા પડશે અને તેમણે એવું જ કર્યું. આ માટે તેઓ ટનલની અંદર યોગ કરતા રહ્યા અને એકબીજા સાથે મજાક કરીને એકબીજાની ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ કરતા રહ્યા. જ્યારે પણ બહારથી અંદર ખાવાનું મોકલવામાં આવે છે, ત્યારે બધા મળીને જમતા અને એકબીજાને પ્રોત્સાહિત કરતા.

પરિવારજનોમાં હર્ષોલ્લાસ, ટનલ પાસે મિઠાઈનું વિતરણ

ટીમો બાદ અથાગ મહેનત બાદ શ્રમિકો બહાર આવી ચૂક્યા છે. ત્યારે શ્રમિકોના બહાર આવાની ખુશીમાં ટનલની પાસે ઉભેલા શ્રમિકોના પરિવારજનો અને લોકોમાં ભારે હર્ષોલલ્લાસ જોવા મળી રહ્યો છે. અહીં શ્રમિકોના પરિવારજનો દ્વારા મિઠાઈનું વિતરણ કરાયું છે.

ટનલમાંથી બહાર કઢાયેલ શ્રમિકોની યાદી

17 દિવસ સુધી સુરંગમાં શ્રમિકો કેવી રહ્યા રહ્યા ફિટ? સામે આવી શ્રમિકોની મહત્વની વાત 2 - image


Google NewsGoogle News