માનસિક વ્યક્તિએ મા, પત્ની અને બાળકોની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો, યુપીમાં મચ્યો હડકંપ

Updated: May 11th, 2024


Google NewsGoogle News
માનસિક વ્યક્તિએ મા, પત્ની અને બાળકોની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો, યુપીમાં મચ્યો હડકંપ 1 - image


Image Source: Twitter

Mass Murder In Sitapur: યુપીના સીતાપુરમાં એક જ પરિવારના 6 લોકોની હત્યાથી હડકંપ મચી ગયો છે. એક અહેવાલ પ્રમાણે એક યુવકે માતા, પત્ની અને બાળકોની ક્રૂર હત્યા કરી નાખી છે. આરોપીએ પોતાની માતાની ગોળી મારીને હત્યા કરી નાખી અને પત્નીની હથોડાથી મારી મારીને હત્યા કરી નાખી. આ ઘટના મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પલ્હાપુર ગામની છે. 

મા, પત્ની અને બાળકોની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો

માતા અને પત્નીની હત્યા કર્યા બાદ આરોપીએ ત્રણ બાળકોને છત પરથી નીચે ફેંકી દીધા જેના કારણે તેઓ પણ મૃત્યુ પામ્યા. પરિવારના પાંચ લોકોની હત્યા કર્યા બાદ આરોપીએ ખુદને પણ ગોળી મારીને આપઘાત કરી લીધો. પ્રાથમિક અહેવાલ પ્રમાણે આરોપી ડ્રગ એડિક્ટ હતો અને માનસિક રીતે પરેશાન રહેતો હતો.

યુપીમાં મચ્યો હડકંપ 

પલ્હાપુરમાં ગત રાત્રે ખેડૂત વિરેન્દ્ર સિંહના પુત્ર અનુરાગ સિંહે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. માનસિક રીતે અસ્વસ્થ અનુરાગ સિંહે માતા સાવિત્રી દેવી (62), પત્ની પ્રિયંકા સિંહ (40), પુત્રી આશ્વી (12), પુત્ર અનુરાગ અને પુત્રી આરના (08)ની હત્યા કરી નાખી. આદવિક (04)નું ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ અનુરાગ સિંહ (45) એ પોતે પણ આપઘાત કરી લીધો. સવારે આ ઘટનાની માહિતી મળતાં જ ગામમાં હડકંપ મચી ગયો હતો. 

પોલીસ અને એફએસએલની ટીમે તપાસ હાથ ધરી

બીજી તરફ આ ઘટના અંગે સીતાપુરના એસએસપી ચક્રેશ મિશ્રાએ કહ્યું કે, આજે મથુરામાં રામપુર પોલીસને માહિતી મળી કે માનસિક રીતે બીમાર એક વ્યક્તિ જેનું નામ અનુરાગ સિંહ છે તેણે કથિત રીતે પોતે આપઘાત કરતા પહેલા પોતાના પરિવારના 5 લોકોની હત્યા કરી નાખી છે. આ મામલે પોલીસ અને એફએસએલની ટીમ તપાસ કરી રહી છે. દરેક પાસા પર કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.


Google NewsGoogle News