Get The App

પાણી પીવાના કથિત મામલે ગામના લોકોએ દલિત યુવકને માર માર્યો, સારવાર દરમિયાન મૃત્યુ

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
પાણી પીવાના કથિત મામલે ગામના લોકોએ દલિત યુવકને માર માર્યો, સારવાર દરમિયાન મૃત્યુ 1 - image

Image:Freepik

નવી દિલ્હી,તા. 29 નવેમ્બર 2023, બુધવાર

ઉત્તર પ્રદેશના બદાઉનમાં, એક દલિત યુવક સાથે મારપીટ કરવામાં આવી હતી જે બાદ તેનું મોત થઇ ગયુ હતું. જાણીને નવાઇ લાગશે પરંતૂ  આ યુવકની ભૂલ એટલી જ હતી કે તેણે જાહેર નળમાંથી પાણી પીધુ.

મળતી માહિતી પ્રમાણે બદાઉનમાં કેટલાક લોકોએ જાહેર નળમાંથી પાણી પીવા બદલ 24 વર્ષીય દલિત યુવકને લાકડીઓ વડે માર માર્યો હતો, યુવક કમલેશને માથાના ભાગે લાકડી વડે માર મારતાં ઈજા થઈ હતી. જે બાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે કેસ નોંધી લીધો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી.

આ ઘટનાને લઇને અધિક પોલીસ અધિક્ષક અમિત કિશોર શ્રીવાસ્તવે જણાવ્યું કે, ઉશૈત પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં મૃતકના પિતા જગદીશે આરોપ લગાવ્યો છે કે, સોમવારે રાત્રે તેમના પુત્ર કમલેશ (24)ને સૂરજ રાઠોડ અને તેના સાગરિતોએ લાકડીઓ વડે માર માર્યો હતો.

આ ઘટનામાં નામના સૂરજ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં વિગતવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે.


Google NewsGoogle News