'પૃથ્વી યોજના' માટે 4797 કરોડ રૂપિયાના ખર્ચને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, જાણો તેના ફાયદા

પૃથ્વી વિજ્ઞાનની વ્યાપક યોજના MOIS સંસ્થાઓના અભ્યાસ અને કાર્યક્રમને સક્ષમ બનાવશે

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
'પૃથ્વી યોજના' માટે 4797 કરોડ રૂપિયાના ખર્ચને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, જાણો તેના ફાયદા 1 - image


Prithvi Scheme : કેન્દ્રીય મંત્રીમંડળે ‘પૃથ્વી યોજના’ હેઠળના અભ્યાસને વધુ ગતિશીલ બનાવવા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળ (Union Cabinet)ની બેઠકમાં 2021-26ના સમયગાળા દરમિયાન લાગુ કરવામાં આવનાર પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની વ્યાપક યોજના ‘પૃથ્વી વિજ્ઞાન’ને મંજૂરી આપી છે. આ યોજનાનો કુલ ખર્ચ 4797 કરોડ રૂપિયા છે. એક અધિકારીએ જણાવ્યું છે કે, પૃથ્વી વિજ્ઞાનની વ્યાપક યોજના MOIS સંસ્થાઓના અભ્યાસ અને કાર્યક્રમને સક્ષમ બનાવશે. આ યોજના સંશોધન, હવામાન, આબોહવા, મહાસાગર, ક્રાયોસ્ફિયર, સિસ્મોલોજીમાં આવતા પડકારોનો સામનો કરવામાં સક્ષમ બનાવશે.

યોજનાની 5 પેટા યોજનાઓ

આ યોજનામાં હાલમાં પાંચ ચાલુ પેટા-યોજનાઓનો સમાવેશ થાય છે, જેમાં (1) વાતાવરણ અને આબોહવા સંશોધન-ફોર્મેટ અવલોકન સિસ્ટમ અને સેવાઓ-ACROSS, (2) મહાસાગર સેવાઓ, ફોર્મેટ એપ્લિકેશન્સ, સંસાધનો અને ટેકનોલોજી-O-SMART (3) ધ્રુવીય વિજ્ઞાન અને ક્રાયોસ્ફિયર સંશોધન-PACER (4) સિસ્મોલોજી અને જીઓસાયન્સ-SAGE (5) સંશોધન, શિક્ષણ, તાલીમ અને આઉટરીચ-REACHOUTનો સમાવેશ થાય છે.

પૃથ્વી યોજનાના ઉદ્દેશ્યો

  • યોજનામાં પૃથ્વી પ્રણાલી અને પરિવર્તનના મહત્વપૂર્ણ સંકેતોને રેકોર્ડ કરવા માટે વાતાવરણ, મહાસાગરો, ભૂમંડળ, ક્રાયોસ્ફિયર અને પૃથ્વીના લાંબા ગાળાના ચોક્કસ અવલોકનો વધારવા અને જાળવી રાખવાનો સમાવેશ થાય છે.
  • યોજનામાં હવામાનને સમજવા અને આગાહી કરવા માટે મોડેલિંગ સિસ્ટમનો વિકાસ પણ સામેલ છે.
  • નવી ઘટનાઓ અને સંસાધનોની શોધ માટે પૃથ્વીના ધ્રુવીય અને ઉચ્ચ સમુદ્રી પ્રદેશોનું સંશોધન પણ ગતિશીલ બનશે.
  • સામાજિક કાર્યક્રમો માટે દરિયાઈ સંસાધનો ઉણપ દુર કરી શકાશે.
  • પૃથ્વિ વિજ્ઞાન યોજના હેઠળ નવીન ટેક્નોલોજીનો પણ વિકાસ કરાશે.

Google NewsGoogle News