ફિરોઝપુરમાં એક જ પરિવારના ત્રણ લોકોની ગોળી મારી હત્યા, અંધાધૂંધ 20 રાઉન્ડ કર્યું ફાયરિંગ

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
ફિરોઝપુરમાં એક જ પરિવારના ત્રણ લોકોની ગોળી મારી હત્યા, અંધાધૂંધ 20 રાઉન્ડ કર્યું ફાયરિંગ 1 - image


Image Source: X

Firozpur Murder: પંજાબના ફિરોઝપુરમાં એક જ પરિવારના ત્રણ લોકોની અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરી નાખી છે. આ ઘટના આજે બપોરે બની છે. હુમલાખોર બાઈક પર આવ્યો હતો. લગભગ 20 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના ગુરુદ્વારા અકાલગઢ સાહિબ સામે બની હતી. 

એક મહિલા સહિત 3 લોકોના મોત

પ્રાપ્ત માહિતી પ્રમાણે કારમાં પાંચ લોકો સવાર હતા. આ ઘટનામાં એક મહિલાનું પણ મોત થઈ ગયું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મૃતક યુવક દિલપ્રીત સિંહ (29) પર હત્યાના બે કેસ નોંધાયેલા છે. બાકી મૃતકોમાં દિલજીતની બહેન અને પિતરાઈ ભાઈ સામેલ છે. મહિલાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે બાકી બંનેએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. 

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, બાઈક પર બે નકાબધારી શખ્સ આવ્યા અને કારને રોકાવી. કાર ઊભી રેતા જ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. ઘટના બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. પ્રાપ્ત માહિતી પ્રમાણે કારમાં સવાર યુવતીના લગ્ન હતા અને તેના માટે જ બધા ખરીદી કરવા જઈ રહ્યા હતા. 


Google NewsGoogle News