Get The App

હોળીમાં દારૂ પીને કે નશો કરીને માહોલ બગાડનારા હિરણ્યકશ્યપની જાતિના: પ્રેમાનંદ મહારાજ

Updated: Mar 13th, 2025


Google News
Google News
હોળીમાં દારૂ પીને કે નશો કરીને માહોલ બગાડનારા હિરણ્યકશ્યપની જાતિના: પ્રેમાનંદ મહારાજ 1 - image


Image: Facebook

Premanand Maharaj: હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂનમે ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ તહેવાર રંગો, પ્રેમ અને ભાઈચારાનું પર્વ છે. આ દિવસે લોકો ખૂબ હોળી રમે છે અને એકબીજાને ગુલાલ અને રંગ લગાવે છે. હોળીને ખરાબ પર સારાની જીતના તહેવાર તરીકે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે.

હિરણ્યકશ્યપ પ્રજાતિના છે આ લોકો

ઘણાં લોકો હોળી તો મનાવે છે પરંતુ તે આ દિવસે દારૂ અને નશાનું પણ સેવન કરે છે અને બાદમાં સમાજના માહોલને પણ ખરાબ કરવા લાગે છે. અમુક લોકો તો આ દિવસે એકબીજાના ચહેરા પર કાળી શાહી લગાવે છે અને નાળામાં પાડી દે છે. આવા લોકોને પ્રેમાનંદ મહારાજે હિરણ્યકશ્યપ પ્રજાતિના ગણાવ્યા છે.

આ પણ વાંચો: 'જેમને હોળીના રંગોથી તકલીફ તે દેશ છોડીને જતા રહે...' યુપીના કેબિનેટમંત્રીનું વિવાદિત નિવેદન

હોળી મનાવવાની સાચી રીત?

પ્રેમાનંદ મહારાજના જણાવ્યા અનુસાર હોળી એકબીજાની સાથે પ્રેમથી રમવી જોઈએ. આ દિવસે તમે એકબીજાને ગુલાલ લગાવો અને ભગવાનને ભોગ લગાવીને તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરો. તેમણે સમસ્ત દેશવાસીઓને હોળીના દિવસે કોઈ પણ પ્રકારનો નશો ન કરવાની પણ અપીલ કરી. નશો કોઈ પણ ઉત્સવને ખરાબ કરી શકે છે.

હોળીને શાંતિથી સેલિબ્રેટ કરો

હોળીને શાંતિથી સેલિબ્રેટ કરવી જોઈએ. આ દિવસે એકબીજાને પ્રેમ ભાવથી ગુલાલ લગાવવો જોઈએ અને ભગવાનને મીઠાઈથી ભોગ લગાવવો જોઈએ અને એકસાથે બેસીને ભજન ગાવા જોઈએ. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે આ દિવસે ભગવાનનું નામ લેતાં હોળીનો આનંદ લેવો જોઈએ.

Tags :
Premanand-MaharajHoliHiranyakashipu

Google News
Google News