કાશી વિશ્વનાથ મંદિરમાં આ દસ ચીજવસ્તુ લઈને નહીં જઈ શકાય, જાણો નિયમો

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
કાશી વિશ્વનાથ મંદિરમાં આ દસ ચીજવસ્તુ લઈને નહીં જઈ શકાય, જાણો નિયમો 1 - image


નવી મુંબઇ,તા. 4 માર્ચ 2024, સોમવાર 

આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ અને શુક્રવારે ઉજવાશે. આ દિવસ શિવજીની પૂજા કરવાનો સૌથી ઉત્તમ દિવસ હોય છે. આ વખતે મહાશિવરાત્રિ પર નાથોના નાથ બાબા વિશ્વનાથ તેમના ભક્તોને આખી રાત દર્શન આપશે. 

હા, જો તમે પણ મહાશિવરાત્રી પર કાશી દર્શન કરવા આવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. કાશી વિશ્વનાથ મંદિરમાં આ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

મહાશિવરાત્રિ પર મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોએ તેમની સાથે કેટલીક વસ્તુઓ ભૂલથી પણ પોતાની સાથે  ન લાવી જોઈએ, નહીં તો તમારે દર્શન કર્યા વિના જ પાછા ફરવું પડી શકે છે અથવા તમારે દર્શનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ અંગે કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી વિશ્વ ભૂષણ મિશ્રાએ જણાવ્યું કે, દર વખતની જેમ આ વખતે પણ મહાશિવરાત્રિ પર શિવભક્તો માટે મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

જે ભક્તો તે દિવસે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન માટે આવી રહ્યા છે તેઓએ તેમની સાથે આ વસ્તુઓ મંદિરમાં લાવવી નહીં...

1. છરી,

 2. પેન 

3. ઇલેક્ટ્રોનિક રિમોટ

 4. સ્માર્ટ ઘડિયાળ

5. પેન ડ્રાઈવ

6. પાન

7. ગુટખા અથવા 8. કોઈપણ ધારદાર વસ્તુ

9. સિગારેટ 

10. મોબાઈલ

મોબાઈલ સાથે એન્ટ્રી ઉપલબ્ધ રહેશે નહીં

આ સિવાય તેમણે વધુમાં જણાવ્યુ કે, મહાશિવરાત્રી પર મંદિરમાં ભીડ હશે. આ માટે ભક્તોએ પણ તેમના મોબાઈલ ફોન હોટેલ, લોજ અથવા જ્યાં તેઓ રોકાયા છે ત્યાં જ રાખીને મંદિરમાં પ્રવેશવુ જોઇએ. કારણ કે તેની સીધી અસર ભીડના દબાણમાં મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલી લોકર વ્યવસ્થા પર પડશે અને મોબાઈલ ફોન સાથે કોઈ પણ ભક્ત મંદિરમાં દર્શન કરી શકશે નહીં. આવી સ્થિતિમાં, જો તમે આ વસ્તુઓ લઈને મંદિરમાં આવો છો, તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.


Google NewsGoogle News