મોદી સરકારના નવા મંત્રીમંડળમાં આ બે નામ ફાઇનલ, આ યુવા નેતાને મળી શકે છે મોકો

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
મોદી સરકારના નવા મંત્રીમંડળમાં આ બે નામ ફાઇનલ, આ યુવા નેતાને મળી શકે છે મોકો 1 - image


Image: Facebook

Lok Sabha Elections Results 2024: નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે પોતાની ત્રીજી ઈનિંગ શરૂ કરવાની તૈયારીમાં છે. આ સાથે મોદી-3.0 માટે બનનાર ટીમના ચહેરાને લઈને પણ કવાયત શરૂ થઈ ગઈ છે. પોતે મોદી યુપીના વારાણસીથી સાંસદ છે. આ ચૂંટણીમાં જે રીતે ભાજપને યુપીમાં મોટો ઝટકો લાગ્યો છે અને તેના સાત કેન્દ્રીય મંત્રી ચૂંટણી હારી ગયા છે. દરમિયાન પ્રશ્ન એ છે કે સાંસદોની સંખ્યા ઘટ્યા બાદ શું કેન્દ્રીય મંત્રીમંડળમાં યુપીનું પ્રતિનિધિત્વ અકબંધ રહેશે. યુપીથી ઘણા નવા ચહેરાનું કેન્દ્રમાં મંત્રી બનવાનું નક્કી છે.

યુપીથી મોદી-2.0માં મોદી અને રાજનાથ સિંહ સહિત 13 સભ્ય હતા. પહેલાની સરખામણીએ આ વખતે યુપીથી મંત્રીઓની સંખ્યા થોડી ઓછી રહી શકે છે. પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પણ હવે 2027 માં થવાની છે તેથી હાલ કોઈ ઉતાવળ પણ નથી. પ્રદેશથી ક્ષેત્રીય અને સામાજિક સમીકરણ સાધવાની સાથે જ નવા અને જૂના ચહેરામાં સંતુલન જાળવી રાખવાનો પડકાર પાર્ટી નેતૃત્વ સમક્ષ હશે.

મંત્રીમંડળમાં આ જૂના ચહેરા સામેલ થઈ શકે છે

રાજનાથ સિંહ, અનુપ્રિયા પટેલ અને જયંત ચૌધરીનું મંત્રીમંડળમાં આવવું લગભગ નક્કી છે. બંધારણ બદલવાના નામ પર જે રીતે વિપક્ષે ભાજપને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં બે દલિત ચહેરા ટીમમાં સામેલ કરી શકાય છે. તેમાં પાર્ટી એસપી સિંહ બઘેલને રિપીટ કરી શકે છે. જ્યારે પશ્ચિમ યુપીમાં આઝાદ સમાજ પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર રાવળની જીતથી બની રહેલા નવા સમીકરણોને જોતા જાટવ સમાજથી પણ એક મંત્રી બનાવવાની શક્યતા છે.

જિતિન પ્રસાદ કે દિનેશ શર્માની શક્યતા

ડો. મહેન્દ્રનાથ પાંડેની હાર બાદ બ્રાહ્મણ ચહેરા તરીકે જિતિન પ્રસાદ, ડો. દિનેશ શર્મા, ડો. મહેશ શર્મા અને લક્ષ્મીકાંત વાજપેયીમાંથી કોઈ એકને સામેલ કરવામાં આવી શકે છે. સંજીવ બાલિયાન ચૂંટણી હાર્યા બાદ પશ્ચિમ યુપીથી રાજકુમાર ચાહર કે ગુર્જર કોટાથી રાષ્ટ્રીય મંત્રી અને રાજ્યસભા સાંસદ સુરેન્દ્ર નાગરનું નસીબ ચમકી શકે છે. કુર્મી ચહેરા તરીકે પંકજ ચૌધરીની વાપસી કે નવા ચહેરા તરીકે આરપીએન સિંહની એન્ટ્રી થવાની શક્યતા છે. લોધ કોટાથી બીએલ વર્માની વાપસી કે સાક્ષી મહારાજનું નામ શક્ય છે.


Google NewsGoogle News