જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો, 10 લોકોના મોત

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો, 10 લોકોના મોત 1 - image


Terrorist Attack in Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં શિવખોડી તીર્થસ્થાન પર શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર આતંકીઓએ ગોળીબાર કર્યો. અહેવાલો અનુસાર, આ આતંકી હુમલામાં 10 લોકોના મોત થયા છે. આ આતંકવાદીઓનું જૂથ રાજૌરી, પૂંછ અને રિયાસીના ઉપરના વિસ્તારોમાં છુપાયેલું છે. પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

પોલીસ અને સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

અહેવાલો અનુસાર,  રિયાસી જિલ્લામાં શિવખોડી તીર્થસ્થાન પર શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર આતંકી પરગોળીબાર કર્યો હતો, ત્યારબાદ બસ અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય સેના, સીઆરપીએફ, જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.



Google NewsGoogle News