મોબાઇલ સર્વિસ ઠપ થશે તો ગ્રાહકોને મળશે વળતર, ટ્રાઇ- લાવશે નવો નિયમ, જાણો ક્યારથી લાગુ થશે?

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
મોબાઇલ સર્વિસ ઠપ થશે તો ગ્રાહકોને મળશે વળતર, ટ્રાઇ- લાવશે નવો નિયમ, જાણો ક્યારથી લાગુ થશે? 1 - image


Image: X

Telecom Service: મોબાઇલ અથવા તો બ્રોડબેન્ડ સર્વિસનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે ટેલિકોમ સર્વિસ (મોબાઇલ અને બ્રોડબેન્ડ) ઠપ થવા બદલ કંપનીએ ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ) ગ્રાહકોના હિતમાં એક નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. ટ્રાઇ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા નવા સર્વિસ ક્વોલિટી નિયમ હેઠળ જિલ્લા સ્તર પર 24 કલાકથી વધુ સમય સુધી સર્વિસ ઠપ રહેવાની સ્થિતિમાં ટેલિકોમ ઓપરેટરોએ ગ્રાહકોને વળતર આપવું પડશે. ટ્રાઇના નવા નિયમો હેઠળ દરેક ક્વોલિટી બેન્ચમાર્કને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ દંડની રકમ 50,000થી વધારીને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. નવા નિયમોને છ મહિના પછી લાગુ કરી દેવામાં આવશે.

રેગ્યુલેટર અને રિવાઇઝ્ડ રેગ્યુલેશન: ધ સ્ટેન્ડર્ડ ઑફ ક્વોલિટી ઑફ સર્વિસ ઑફ એક્સેસ (વાયરલાઇન અને વાયરલેસ) એન્ડ બ્રોડબોન્ડ (વાયરલાઇન અને વાયરલેસ) સર્વિસ રેગ્યુલેશન 2024 હેઠળ નિયમોના ઉલ્લંઘનના વિવિધ ધોરણો માટે 1 લાખ રૂપિયા,  2 લાખ રૂપિયા, 5 લાખ અને 10 લાખ રૂપિયાની ગ્રેડ પેનલ્ટી સિસ્ટમ શરુ કરવામાં આવી છે. 

ભાડામાં છૂટ મળશે અને વેલિડિટી વધશે

નવા નિયમો ત્રણ અલગ-અલગ રેગ્યુલેશન: બેઝિક અને સેલ્યુલર મોબાઇલ સર્વિસ, બ્રોડબેન્ડ સર્વિસ અને બ્રોડબેન્ડ વાયરલેસ સર્વિસ માટે ક્વોલિટી ઑફ ક્વોલિટી(QoS)નું સ્થાન લે છે. કોઈ જિલ્લામાં નેટવર્ક ઠપ થવાની સ્થિતિમાં ટેલિકોમ ઓપરેટરોએ નવા નિયમો પ્રમાણે પોસ્ટપેડ ગ્રાહકો માટે ભાડામાં રાહત આપવી પડશે અને પ્રીપેડ ગ્રાહકો માટે વેલિડિટી વધારવી પડશે.

ટ્રાઇએ કહ્યું કે, જો કોઈ નેટવર્ક આઉટેજ 24 કલાકથી વધુ સમય સુધી ચાલુ રહે છે તો સર્વિસ પ્રોવાઇડરને આગલા બિલિંગ સાઇકલમાં અસરગ્રસ્ત જિલ્લામાં રજિસ્ટર્ડ પોસ્ટપેડ ગ્રાહકોને સર્વિસ આઉટેજના વાસ્તવિક દિવસોની સંખ્યા માટે સબસ્ક્રાઇબડ ટેરિફ પ્લાન પ્રમાણે પ્રપોશનલ ભાડામાં છૂટ આપવી પડશે. 

રેગ્યુલેટર એક કેલેન્ડર દિવસમાં 12 કલાકથી વધુ નેટવર્ક આઉટેજ સમયગાળાને ભાડામાં છૂટ અથવા વેલિડિટી વધારવા માટે એક સંપૂર્ણ દિવસ તરીકે ગણશે. નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે, ટેલિકોમ ઓપરેટરોને સર્વિસ ઠીક કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવશે. જો કે, કુદરતી આફતોના કારણે થતાં વિક્ષેપોને વેલિડિટી એક્સ્ટેન્શન માટે માનવામાં નહીં આવશે.

નિયમ બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર્સ પર પણ લાગુ

એટલું જ નહીં ફિક્સ્ડ લાઇન સર્વિસ પ્રોવાઇડરોએ પોસ્ટપેડ અને પ્રીપેડ ગ્રાહકોને પણ વળતર આપવું પડશે જો તેમના નેટવર્ક અથવા સેવામાં ખામી ત્રણ દિવસ બાદ પણ બરાબર થઈ જાય. નવા નિયમ પ્રમાણે બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર્સે ગ્રાહકો દ્વારા પેમેન્ટ કર્યાના 7 દિવસની અંદર 98 ટકા કનેક્શન એક્ટિવેટ કરવા પડશે.

6 મહિના બાદ લાગુ થશે નવા નિયમ

મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સે પોતાની વેબસાઇટ પર સર્વિસ વાઇઝ (2G, 3G, 4G, 5G) જિયોગ્રાફિકલ કવરેજ મેપ ઉપલબ્ધ કરાવવો પડશે, જેનાથી યુઝર્સને મદદ મળશે. ટ્રાઇના નિયમ 6 મહિના બાદ લાગુ થશે.  


Google NewsGoogle News