હૈદરાબાદ આજથી આંધ્રપ્રદેશની રાજધાની નહીં ગણાય, જુઓ કયા રાજ્યને મળ્યું તેનું નિયંત્રણ

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
હૈદરાબાદ આજથી આંધ્રપ્રદેશની રાજધાની નહીં ગણાય, જુઓ કયા રાજ્યને મળ્યું તેનું નિયંત્રણ 1 - image


Image Source: Twitter

Telangana's control over Hyderabad from today: હૈદરાબાદ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની સત્તાવાર સંયુક્ત રાજધાની નહીં ગણાશે. આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014 ની કલમ 5(1) પ્રમાણે  2 જૂન, 2024થી આંધ્રપ્રદેશ અને તેલંગાણાની સામાન્ય રાજધાની હશે. આ જ અધિનિયમની કલમ 5(2)માં જણાવ્યું છે કે, હૈદરાબાદ માત્ર તેલંગાણાની રાજધાની રહેશે અને આંધ્રપ્રદેશ માટે એક નવી રાજધાની હશે.

આંધ્રપ્રદેશની કોઈ કાયમી રાજધાની નથી

આંધ્રપ્રદેશની હજુ સુધી કોઈ કાયમી રાજધાની નથી. અમરાવતી અને વિશાખાપટ્ટનમ અંગે હજુ પણ કોર્ટમાં લડાઈ ચાલી રહી છે. આંધ્રપ્રદેશનાના વર્તમાન મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ કહ્યું કે, જો હું સત્તામાં બની રહીશ તો વિશાખાપટ્ટનમને વહીવટી રાજધાની બનાવીશ. બીજી તરફ અમરાવતી વિધાનમંડળની બેઠક હશે અને કુરનૂલ ન્યાયિક રાજધાની હશે.

આંધ્રપ્રદેશે 2014માં વિભાજન બાદ તરત જ હૈદરાબાદને રાજધાની તરીકે ઉપયોગ કરવાનું બંધ કરી દીધુ હતું. એક રાજકીય નિરીક્ષકે કહ્યું કે બે તેલુગુ રાજ્યો વચ્ચેનું તાજેતરનું વિભાજન પ્રતીકાત્મક હશે, પરંતુ તે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

આજે તેલંગાણા દિવસ

તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડીએ રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને આજે યોજાનારા રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યુ છે. રેડ્ડીએ શનિવારે રાજભવન જઈને રાજ્યપાલને 2 જૂનના આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિનંતી કરી હતી. તેમની સાથે ડેપ્યુટી સીએમ ભટ્ટી વિક્રમાર્ક પણ હતા. રાજ્ય સરકારે આ કાર્યક્રમના આયોજન માટે સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ અને ટેન્ક બંડમાં વિસ્તૃત વ્યવસ્થા કરી છે. કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, મુખ્યમંત્રી, રાજ્યના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો હાજરી આપે તેવી અપેક્ષા છે.

મુખ્યમંત્રી સવારે ગન પાર્ક ખાતે શહીદ સ્તૂપ પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સિકંદરાબાદ પરેડ ગ્રાઉન્ડમાં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે. પરેડ ગ્રાઉન્ડના પરિસરમાં સ્પેશિયલ મેડિકલ કેમ્પ પણ લગાવવામાં આવ્યો છે અને પીવાના પાણીની વ્યવસ્થા અને યોગ્ય શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત માહિતી અને જનસંપર્ક વિભાગના નેજા હેઠળ એલઈડી સ્ક્રીન અને કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ આયોજિત કરવામાં આવી રહ્યું છે. 

આ અવસર પર 2 જૂનની સાંજે ટેન્ક બંડ પર આતિશબાજી, લેસર-શો, ફૂડ અને ગેમિંગ સ્ટોલ સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને અન્ય મહાનુભાવો સામેલ થશે.


Google NewsGoogle News