નિર્મલા સીતારમણ જૂઠ્ઠું બોલે છે, તમિલનાડુમાં પ્રાણ પ્રતિષ્ઠાના જીવંત પ્રસારણ પર પ્રતિબંધ નથીઃ સ્ટાલિન સરકાર

તમિલનાડુમાં પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ પ્રસારણ પર પ્રતિબંધ મૂકાયાનો નિર્મલા સીતારમણનો દાવો

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
નિર્મલા સીતારમણ જૂઠ્ઠું બોલે છે, તમિલનાડુમાં પ્રાણ પ્રતિષ્ઠાના જીવંત પ્રસારણ પર પ્રતિબંધ નથીઃ સ્ટાલિન સરકાર 1 - image


Ram mandir News | તમિલનાડુ સરકારે 22 જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ જોવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે આ દાવો કર્યો હતો અને આ નિર્ણય બદલ સ્ટાલિન સરકાર પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે રાજ્યમાં ભગવાન રામના 200થી વધુ મંદિરો છે. હિન્દુ ધાર્મિક ચેરિટી વિભાગ દ્વારા નિયંત્રિત મંદિરોમાં ભગવાન રામના નામ પર કોઈ પૂજા/ ભજન/ પ્રસાદમ/ અન્નદાનમની મંજૂરી નથી. ખાનગી રીતે ચાલતા મંદિરોમાં પણ પોલીસ કાર્યક્રમોનું આયોજન કરતા અટકાવી રહી છે. આયોજકો દ્વારા તેમને ધમકી આપવામાં આવી રહી છે કે જો આવું કંઈ થશે તો તેઓ પંડાલ તોડી પાડશે. આ એક હિંદુ વિરોધી અને ઘૃણાસ્પદ કૃત્ય છે, જેની હું સખત ટીકા કરું છું.

શું કહ્યું નાણામંત્રી નિર્મલા સીતારમણે? 

નિર્મલા સીતારમણે કહ્યું કે તમિલનાડુ સરકાર અનૌપચારિક લાઇવ ટેલિકાસ્ટ પ્રતિબંધને યોગ્ય ઠેરવવા માટે કાયદો અને વ્યવસ્થા બગડવાનો દાવો કરી રહી છે. આ એક ખોટી અને બનાવટી વાર્તા છે. તેમણે X પર આગળ કહ્યું કે  અયોધ્યા ચુકાદાના દિવસે પણ કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા નહોતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો તે દિવસે પણ દેશભરમાં આ સમસ્યા ન હતી. તમિલનાડુમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી માટે લોકોમાં સ્વૈચ્છિક ભાગીદારી અને ઉત્સાહે હિન્દુ વિરોધી ડીએમકે સરકારને ખૂબ જ પરેશાન કરી છે.

તમિલનાડુના હિન્દુ ધાર્મિક ચેરિટી મંત્રીએ શું કહ્યું? 

જો કે તમિલનાડુના હિંદુ ધાર્મિક ચેરિટી મંત્રી સેકર બાબુએ આ દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે સેલમમાં ડીએમકેનું યુવા સંમેલન ચાલી રહ્યું છે જેના કારણે ધ્યાન ભટકાવવા માટે આ અફવા ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું, 'ચેરિટી વિભાગે તમિલનાડુના મંદિરોમાં રામના નામ પર પૂજા કરવા, ભોજન આપવા અથવા પ્રસાદ આપવા પર ભક્તો પર કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી. આ ખેદજનક છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ જેવી વ્યક્તિ, જે આટલું ઊંચું પદ ધરાવે છે, તે સંપૂર્ણ રીતે ખોટો સંદેશ ફેલાવી રહ્યાં છે.

નિર્મલા સીતારમણ જૂઠ્ઠું બોલે છે, તમિલનાડુમાં પ્રાણ પ્રતિષ્ઠાના જીવંત પ્રસારણ પર પ્રતિબંધ નથીઃ સ્ટાલિન સરકાર 2 - image


Google NewsGoogle News