'સપામાં મારી સાથે ભેદભાવ...', સ્વામી પ્રસાદ મૌર્યનું મહાસચિવ પદેથી રાજીનામું

સ્વામી પ્રસાદ મૌર્યએ સમાજવાદી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
'સપામાં મારી સાથે ભેદભાવ...', સ્વામી પ્રસાદ મૌર્યનું મહાસચિવ પદેથી રાજીનામું 1 - image


Swami Prasad Maurya resigns: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સ્વામી પ્રસાદ મૌર્યએ પાર્ટી અધ્યક્ષને પત્ર લખીને સપાના રાષ્ટ્રીય મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પત્રમાં તેમણે અન્ય નેતાઓની પ્રતિક્રિયાઓ અને પાર્ટીની અંદર તેના પદ અને નિવેદનો પર થઈ રહેલા ભેદભાવનો ઉલ્લેખ કર્યો છે.

સ્વામી પ્રસાદ મૌર્યએ પાર્ટી પર લગાવ્યા આરોપ

રાજીનામાના પત્રમાં સ્વામી પ્રસાદ મૌર્યએ લખ્યું, 'સમાજવાદી પાર્ટીના કેટલાક નજીકના મિત્રો અને મોટા નેતાઓએ મારા નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહે છે કે, મૌર્યજીનું અંગત નિવેદન છે. મે ઘણાં વર્ષોથી સમાજવાદી પાર્ટી માટે સતત કામ કર્યું છે અને પાર્ટીના સમર્થનમાં પણ વધારો કર્યો છે. સ્વામીની રાજનીતિ અને અથાક પ્રયાસોને કારણે 2022માં પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા વધીને 110 થઈ ગઈ હતી.'

આ વાત પર સ્વામી પ્રસાદ મૌર્ય દુઃખી

સ્વામી પ્રસાદ મૌર્યએ દુ:ખ પણ વ્યક્ત કરતા પત્રમાં લખ્યું, 'મે જાતિવાર વસ્તી ગણતરી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગો માટે અનામત બચાવવા, બેરોજગારી-મોંઘવારી, ખેડૂતોની સમસ્યાઓ, લોકશાહી અને બંધારણ બચાવવા અને ખાનગીકરણ સામે રાજ્ય સ્તરે યાત્રા કાઢવાની સલાહ આપી હતી. આના પર ખાતરી આપવામાં આવી હતી પરંતુ સકારાત્મક પરિણામ ન આવ્યા.'

સ્વામી પ્રસાદ મૌર્યએ લખ્યું, 'આશ્ચર્ય એ છે કે મારા પ્રયાસોને કારણે આદિવાસીઓ, દલિતો અને પછાત લોકોનો સમાજવાદી પાર્ટી તરફ વધ્યો. પક્ષનો વધેલો સમર્થન આધાર અને સમર્થન વધારવાના પ્રયાસો અને નિવેદનો પક્ષના નથી પણ વ્યક્તિગત છે? જો રાષ્ટ્રીય મહાસચિવના પદ પર પણ ભેદભાવ થતો હોય તો મને લાગે છે કે આવા ભેદભાવપૂર્ણ અને બિનમહત્ત્વના હોદ્દા પર ચાલુ રહેવાનું કોઈ વ્યાજબી નથી. તેથી હું સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું'


Google NewsGoogle News