શું તમે પણ પોષક આહાર નથી લેતા? ભારતીયો સાથે જોડાયેલા UNના રિપોર્ટમાં સામે આવ્યો આ ચોંકાવનારો ડેટા

74.1 ટકા ભારતની વસ્તી પોષક આહાર નથી લઇ શકતી

કોવિડ-19 બાદ આ આંકડામાં વધારો જોવા મળ્યો

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
શું તમે પણ પોષક આહાર નથી લેતા? ભારતીયો સાથે જોડાયેલા UNના રિપોર્ટમાં સામે આવ્યો આ ચોંકાવનારો ડેટા 1 - image


Global Report on Food Crises 2022: યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલો એક રિપોર્ટે ચોંકાવનારો છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે વર્ષ 2021માં 74.1 ટકા ભારતીયો પોષક આહાર લેવામાં  અસમર્થ હતા. જો આપણે વર્ષ 2020 ના આંકડાઓ પર નજર કરીએ તો તે 76.2 ટકા હતો. પાડોશી દેશ પાકિસ્તાનમાં 82.2 ટકા લોકો એવા છે જેઓ હેલ્ધી ફૂડ ખાઈ શકતા નથી. જ્યારે બાંગ્લાદેશમાં આ આંકડો 66.1 ટકા છે. રિપોર્ટમાં લોકોનું પોષક આહાર ન લેવા પાછળનું કારણ પણ ચોંકાવનારૂ છે. આવકમાં ઘટાડો અને વધતી મોંઘવારીના કારણે ઘણા લોકો સારું ભોજન ખાઈ શકતા નથી. 

કોવિડ બાદ હાલત બધું ખરાબ 

FAOએ તેના રિપોર્ટમાં ચેતવણી આપી છે કે વધતી જતી મોંઘવારી અને ઘટતી જતી આવકના કારણે દરરોજ લોકોને બે ટાઇમનું ભોજન મળવું મુશકેલ બન્યું છે. એવામાં પોષક આહાર લેવાનું વિચારવું તો અશક્ય જ છે. રિપોર્ટ અનુસાર જો ભોજનની લાગત વધે છે અને સાથે જ આવકમાં ઘટાડો થાય છે તો તેનો પ્રભાવ ખરાબ પડે છે. જેના પરિણામે બધું લોકો પોષક આહાર લઇ શકતા નથી. કોવિડ-19 બાદ લોકોને ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોવિડ-19નીઆર્થિક અસરોને કારણે ખોરાકના ભાવમાં વધારો થવાથી 112 મિલિયનથી વધુ લોકો સ્વસ્થ આહાર પરવડી શકે તેમ નથી. આનો સ્પષ્ટ અર્થ એ છે કે વિશ્વભરમાં કુલ 3.1 અબજ લોકો છે જેઓ આ ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ નથી.

પોષક આહાર ન લેવાથી થાય છે આ સમસ્યા 

રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી ગંભીર સ્થિતિ એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં છે. જ્યાં પુરૂષોની સરખામણીએ મહિલાઓને પૌષ્ટિક આહાર ન મળવા જેવી સમસ્યાઓ વધુ હોય છે. રિપોર્ટ અનુસાર, આના કારણે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વામનપણું, નબળાઈ અને વધતા વજનનો સામનો કરવો પડે છે. ગર્ભવતી મહિલાઓ એનિમિયાની સમસ્યાથી પીડાય રહી છે. આ સિવાય દેશની 16.6 ટકા વસ્તી કુપોષણથી પીડિત છે.

ભારતમાં તંદુરસ્ત ખોરાક પર વ્યક્તિ દરરોજ કેટલો ખર્ચ કરે છે?

FAOના રિપોર્ટ અનુસાર, ભારતમાં એક વ્યક્તિ તેના આહાર પર દરરોજ 247 રૂપિયા ખર્ચ કરે છે. આ હિસાબે તેને તેના આહાર માટે દર મહિને 7310 રૂપિયા ખર્ચવા પડે છે. આવી સ્થિતિમાં, 4 લોકોના પરિવારમાં આ આંકડો 29,210 રૂપિયા થાય છે, જે ભારતમાં દરેક વ્યક્તિની આવક નથી.

80 કરોડ લોકો સરકાર દ્વારા આપવામાં આવતા સબસિડીવાળા રાશન પર નિર્ભર

આંકડા અનુસાર, લગભગ 60 ટકા લોકો ભારત સરકાર દ્વારા આપવામાં આવતા સબસિડીવાળા રાશન પર નિર્ભર છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓને મફત પાંચ કિલો અનાજની વિશેષ સહાય ઉપરાંત દર મહિને માત્ર 2-3 રૂપિયા પ્રતિ કિલોના દરે પાંચ કિલો અનાજ આપવામાં આવે છે. જો કે, ખાદ્ય સબસિડી કાર્યક્રમને ઘણીવાર ટીકાઓનો સામનો કરવો પડે છે કારણ કે આ યોજના હેઠળ આપવામાં આવતા રાશન પર્યાપ્ત કેલરીનો પુરવઠો આપે છે પરંતુ પર્યાપ્ત પોષણની કાળજી લેતા નથી.

ભૂખમરાની સ્થિતિના કારણે ગંભીર હાલત થવાનું અનુમાન 

FAOના રિપોર્ટ અનુસાર હાલ દુનિયાની મોટાભાગની વસ્તી ભૂખ્યા પેટે સુવે છે. એવામાં આ વર્ષના અંત સુધીમાં ભૂખ્યા પેટે સુતા લોકોનો આંકડો 84 કરોડ સુધી પહોંચશે. આંકડાઓ જોતા એવું અનુમાન પણ લગાવવામાં આવે છે કે 2014 બાદ આ આંકડામાં ધીમે - ધીમે વધારો થઇ રહ્યો છે. તેવી સ્થિતિમાં ભારતના ગરીબ પાડોશી દેશોમાં જેવી સ્થિતિ છે તેવી ભૂખમરાની સ્થિતિ અને ગંભીર હાલત થવાનું અનુમાન છે. 

દર વર્ષે વ્યક્તિ દીઠ 50 કિલો ખોરાકનો બગાડ

આ તમામ સંજોગો સિવાય દેશમાં ખાદ્યપદાર્થોના બગાડના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં દર વર્ષે વ્યક્તિ દીઠ 50 કિલો ખોરાકનો બગાડ થાય છે. જો આપણે ભારતમાં ખોરાકના કુલ બગાડનો અંદાજ લગાવીએ તો દેશમાં દર વર્ષે 68,760,163 ટન ખોરાકનો બગાડ થાય છે. જ્યાં અમેરિકામાં આ આંકડો 19,359,951 ટન છે, જ્યારે ચીનમાં 91,646,213 ટન ખોરાકનો બગાડ થાય છે.

શું તમે પણ પોષક આહાર નથી લેતા? ભારતીયો સાથે જોડાયેલા UNના રિપોર્ટમાં સામે આવ્યો આ ચોંકાવનારો ડેટા 2 - image


Google NewsGoogle News