શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને સરકારની નોટિસ, પાન મસાલાની જાહેરાત ભારે પડી

કેન્દ્ર સરકારના વકીલે હાઈકોર્ટને જાણ કરી હતી કે સુપ્રીમ કોર્ટ પણ આ મામલાની સુનાવણી કરી રહી છે

લખનઉ બેંચની અવમાનના અરજી પર કેન્દ્ર સરકારે પોતાનો જવાબ આપ્યો

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને સરકારની નોટિસ, પાન મસાલાની જાહેરાત ભારે પડી 1 - image


issued notice to this bollywood star for gutka Advertisement case : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan), અક્ષય કુમાર (Akshay Kumar) અને અજય દેવગન (Ajay Devgn) દ્વારા પાન મસાલાને પ્રમોટ કરવાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે.  હવે અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad high Court)ની લખનઉ બેંચની અવમાનના અરજી પર કેન્દ્ર સરકારે પોતાનો જવાબ આપ્યો છે કે પાન મસાલાની જાહેરાતના મામલામાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ, અજય અને અક્ષય કુમારને નોટિસ પાઠવવામાં આવી છે.

બેન્ચે આ મામલે આગામી સુનાવણીની તારીખ નક્કી કરી

આ મામલામાં કેન્દ્ર સરકારના વકીલે હાઈકોર્ટને જાણ કરી હતી કે સુપ્રીમ કોર્ટ પણ આ મામલાની સુનાવણી કરી રહી છે, આવી સ્થિતિમાં આ અરજીને તાત્કાલિક ફગાવી દેવી જોઈએ. બેન્ચે તમામ દલીલો સાંભળ્યા બાદ આ મામલે આગામી સુનાવણીની તારીખ 9 મે, 2024 નક્કી કરી છે. આ આદેશ જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની સિંગલ બેન્ચે અવમાનનાની અરજી પર આપ્યો હતો. ન્યાયમૂર્તિ રાજેશ સિંહ ચૌહાણની ખંડપીઠે અગાઉ કેન્દ્ર સરકારને અરજદારની રજૂઆત પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો, જેમણે મૂળભૂત રીતે એવી દલીલ કરી હતી કે અભિનેતાઓ અને મહાનુભાવો સામે પગલાં લેવા જોઈએ જેમને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ ગુટખા કંપનીઓ માટે જાહેરાત કરી રહ્યા હતા.

હાઇકોર્ટે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવને નોટિસ પાઠવી હતી

જો કે, અરજદારે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે 22 ઓક્ટોબરના રોજ લોકોએ આ અભિનેતાઓ વતી સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારબાદ અવમાનના અરજી પર સુનાવણી કરતી વખતે, હાઇકોર્ટે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવને નોટિસ પાઠવી હતી, જેમાં ગઈકાલે  ભારત સરકારના ડેપ્યુટી સોલિસિટર જનરલ એસબી પાંડેએ લખનઉ બેંચમાં જસ્ટિસ રાજેશ ચૌહાણની ખંડપીઠમાં સુનાવણી દરમિયાન દલીલ કરી હતી કે અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગન ગુટખાના પ્રચાર માટે દોષિત છે અને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી વતી કંપનીઓ આ ત્રણેય અભિનેતાને ઓક્ટોબર મહિનામાં નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટને એ પણ જણાવવામાં આવ્યું હતું કે અભિનેતા અમિતાભ બચ્ચને કોન્ટ્રાક્ટ રદ્દ કર્યા બાદ પણ તેમને જાહેરાતમાં દર્શાવવા બદલ સંબંધિત ગુટખા કંપનીને કાનૂની નોટિસ મોકલી છે.

શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને સરકારની નોટિસ, પાન મસાલાની જાહેરાત ભારે પડી 2 - image


Google NewsGoogle News