Get The App

સુપ્રીમ કોર્ટને નવા CJI મળશે, જસ્ટિસ ચંદ્રચૂડે કરી આ હસ્તીના નામની ભલામણ, કેટલો હશે કાર્યકાળ?

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટને નવા CJI મળશે, જસ્ટિસ ચંદ્રચૂડે કરી આ હસ્તીના નામની ભલામણ, કેટલો હશે કાર્યકાળ? 1 - image


Supreme Court News: CJI ડીવાઇ ચંદ્રચૂડનો નવેમ્બરમાં કાર્યકાળ પુરો થવા જઇ રહ્યો છે. ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમણે જસ્ટિસ સંજીવ ખન્નાના નામની ભલામણ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે જસ્ટિસ ખન્ના સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ છે. ખાસ વાત એ છે કે જસ્ટિસ ખન્ના પણ મે 2025 માં નિવૃત થઇ રહ્યા છે. તેમણે વકીલ તરીકે વર્ષ 1983 માં શરૂઆત કરી હતી.  

આગામી CJI

કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં સીજેઆઇ ચંદ્રચૂડે જસ્ટિસ ખન્નાને તેમના ઉત્તરાધિકારી બનવાની ભલામણ કરી છે.  CJI ચંદ્રચૂડ 13 મે 2016 માં પહેલીવાર સર્વોચ્ચ અદાલતના જજ બન્યા હતા. તો બીજી તરફ જસ્ટિસ ખન્ના 18 જાન્યુઆરી 2019 માં સુપ્રીમ કોર્ટના પ્રથમ જજ બન્યા હતા. તે પહેલાં તે દિલ્હી હાઇકોર્ટ સહિત ઘણી ટ્રિબ્યુનલમાં સેવાઓ આપી ચૂક્યા છે. 

6 મહિના બાદ થશે નિવૃત

NALSA એટલે કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની સત્તાવાર વેબસાઇટના અનુસાર એક્ઝિક્યુટિવ ચેરમેનની યાદીમાં સામેલ જસ્ટિસ ખન્ના 13 મે 2025ના રોજ નિવૃત થઇ રહ્યા છે. એવામાં જો તે નવેમ્બરમાં પદ સંભાળશે તો તે લગભગ 6 મહિના CJI તરીકે સુપ્રીમ કોર્ટમાં સેવાઓ આપશે. 

આગામી કોણ 

જસ્ટિસ ખન્ના બાદ આગામી CJI તરીકે જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવાઇનું નામ ચર્ચામાં છે. તે મે 2025 માં આ પદ સંભાળી શકે છે. ખાસ વાત એ છે કે દેશના બીજા CJI હોય શકે છે, જો અનુસૂચિત જાતિમાંથી આવે છે. સુપ્રીમ કોર્ટને પહેલાં દલિત CJI જસ્ટિસ કેજી બાલકૃષ્ણના રૂપમાં મળ્યા હતા. તે 11 મે 2010 ના રોજ નિવૃત થઇ ગયા હતા. 

જસ્ટિસ ગવઇ પણ 6 મહિનામાં થશે નિવૃત 

ખાસ વાત એ છે કે મે મહિનામાં CJI બન્યા બાદ જસ્ટિસ ગવઇ પણ આગામી 6 મહિનામાં નિવૃત થઇ જશે. સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટના અનુસાર 16 માર્ચ 1985 ના રોજ કાયદાકીય કેરિયરની શરૂઆત કરનાર જસ્ટિસ ગવઇ 23 નવેમ્બર 2025 ના રોજ નિવૃત થવા જઇ રહ્યા છે. સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમના બાદ જસ્ટિસ સૂર્યકાંત પદ સંભાળી શકે છે. 


Google NewsGoogle News