માલદીવ પાસે આર્મી પણ નથી, ભાજપે મત ઉઘરાવવા તેની સાથે વિવાદ વધાર્યો છેઃ સંજય રાઉત

સંજય રાઉતે આરોપ લગાવ્યો કે જે જમીન માટે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો તે જમીન પર રામ મંદિરનું નિર્માણ થયું નથી

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
માલદીવ પાસે આર્મી પણ નથી, ભાજપે મત ઉઘરાવવા તેની સાથે વિવાદ વધાર્યો છેઃ સંજય રાઉત 1 - image


Shiv Sena(UBT) Sanjay Raut: શિવસેના (ઉદ્ધવ)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે વડાપ્રધાન મોદી પર રાજકીય લાભ માટે માલદીવ સાથે ઝઘડો કરવાનો આરોપ લગાવ્યો. સંજય રાઉતે કહ્યું,'જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધનો મુદ્દો પૂરો થઈ ગયો છે, ત્યારે ભાજપ સરકાર લોકસભા ચૂંટણી પહેલા માલદીવ સાથે ઝઘડો કરી રહી છે, જેની પાસે પોતાની આર્મી અને પોલીસ ફોર્સ પણ નથી. માલદીવ સાથે વિવાદ વધારશે અને ચૂંટણીમાં તેના નામે મત માગશે. 

મણિપુરમાં 'ભારત જોડો ન્યાય યાત્રા' દરમિયાન રાહુલ ગાંધીના બીજેપી અંગેના નિવેદનનો બચાવ કરતા સંજય રાઉતે કહ્યું કે, 'જો રાજનીતિની વાત ન હોત તો શું વડાપ્રધાન એક બેઠકની ગણતરી કરવા માટે લક્ષદ્વીપ ગયા હોત. પરંતુ દોઢ વર્ષ ગયા છતાં વડાપ્રધાન મણિપુર જઈ શક્યા નથી. રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા, અન્ય વિપક્ષી નેતાઓ પણ ત્યાં ગયા છે. અહીંના લોકો સાથે વાત કરી, તેમનું દર્દ સમજ્યું. પણ આપણા દેશના વડાપ્રધાન લક્ષદ્વીપ જઈને બેસી જાય છે. ત્યાં બેસીને માલદીવ સાથે ઝઘડો કરે છે.

બીજેપી-આરએસએસમાં ચીનનો સામનો કરવાની હિંમત નથીઃ સંજય રાઉત

સંજય રાઉતે કહ્યું, 'ચીને ઘૂસી ગયું છે. ભાજપ અને આરએસએસ પાસે ચીનનો સામનો કરવાની હિંમત નથી. રાહુલ ગાંધીએ શું ખોટું કહ્યું? આ રાજનીતિ રાષ્ટ્રીય હિતમાં નથી, આ માત્ર ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીની રાજનીતિ છે. ભગવાન રામ ભાજપની ખાનગી સંપત્તિ નથી. જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમણે જવું જ પડશે અને જેમને આમંત્રણ નથી મળ્યું તેમણે પણ જવું પડશે, ભગવાન રામ બધાના છે.'

સંજય રાઉતે જણાવ્યું કે,'જે જમીન માટે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો તે જમીન પર રામ મંદિરનું નિર્માણ થયું નથી. ભાજપનું સૂત્ર હતું કે મંદિર ત્યાં જ બનશે. જઈને જુઓ કે ત્યાં મંદિર બન્યું છે કે નહીં. જે જગ્યાએ મંદિર બનાવવાની વાત થઈ હતી ત્યાં મંદિર બનાવવામાં આવ્યું નથી. તે ત્યાંથી ચાર કિલોમીટર દૂર બનાવવામાં આવ્યું છે. 


Google NewsGoogle News