ભારતમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરી મળશે?, સુપ્રીમ કોર્ટ આજે આપશે મહત્વનો ચુકાદો

નિર્ણય જે પણ હોય પણ સંઘર્ષ ચાલુ રહેશે : અરજદાર

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
ભારતમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરી મળશે?, સુપ્રીમ કોર્ટ આજે આપશે મહત્વનો ચુકાદો 1 - image
Image : wikipedia

Same Sex Marriage Verdict : સુપ્રીમ કોર્ટ આજે સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરીની માંગ કરતી અરજી પર પોતાનો ચુકાદો (deliver its verdict) આપશે. CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે 10 દિવસની સુનાવણી બાદ 11 મેના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ સાથે જ આજે અરજદારે કહ્યું ( petitioner said) હતું કે નિર્ણય જે પણ હોય પણ સંઘર્ષ ચાલુ રહેશે.

શું છે અરજદારોની દલીલ ?

અરજદારોએ વિશ્વના ઘણા દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની દલીલ કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે ભારતમાં સમલૈંગિક યુગલોને કોઈ કાનૂની અધિકાર (no legal rights)નથી. કાયદાની નજરમાં તેઓ પતિ-પત્ની ન હોવાથી તેઓ એકસાથે બેંક ખાતું ખોલાવી શકતા (open a bank account) નથી, તેમના પીએફ અથવા પેન્શનમાં તેમના પાર્ટનરને નોમિની બનાવી શકતા નથી. આ સમસ્યાઓ ત્યારે જ ઉકેલાશે જ્યારે તેમના લગ્નને કાનૂની માન્યતા (legal recognition) મળશે.

આ મામલે સરકારનું વલણ શું છે?

સુપ્રીમ કોર્ટમાં તમામ અરજીઓમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની માંગ કરવામાં આવી છે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં કહેવામાં આવ્યું છે કે આંતર-ધાર્મિક અને આંતર-જ્ઞાતિય (inter-caste marriages) લગ્નોને રક્ષણ આપવામાં આવ્યું છે, પરંતુ સમલૈંગિકો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. બીજી તરફ, કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બંધારણીય બેંચને કહ્યું હતું કે સરકાર એક સમિતિની રચના કરશે અને સમલૈંગિક યુગલોના અધિકારોના મુદ્દાનો ઉકેલ શોધશે. આ કમિટી આ યુગલોના લગ્નને કાનૂની માન્યતા આપવાના મુદ્દા પર વિચાર કરશે નહીં. અરજદારો સમસ્યાઓ અંગે તેમના સૂચનો આપી શકે છે. તેમના સૂચનોમાં તે સરકારને કહી શકે છે કે શું પગલાં લેવા જોઈએ. મહેતાએ કહ્યું હતું કે સરકાર આ અંગે સકારાત્મક છે. 

ભારતમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરી મળશે?, સુપ્રીમ કોર્ટ આજે આપશે મહત્વનો ચુકાદો 2 - image


Google NewsGoogle News