જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 8 લોકોના મોત

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 8 લોકોના મોત 1 - image


Image Source: Twitter

Anantnag Accident: જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ડકસુમમાં આજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં એક કાર અનિયંત્રિત થઈને ખાઈમાં ખાબકી હતી. અકસ્માતમાં પાંચ બાળકો સહિત એક જ પરિવારના 8 સભ્યોના મોત થઈ ગયા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો કિશ્તવાડના નિવાસી હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પરિવાર કિશ્તવાડથી સિંથન ટોપ થઈને મારવાહ તરફ જઈ રહ્યો હતો. ત્યારે જ તેમનું વાહન ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. 

અકસ્માતમાં સામેલ ઈમ્તિયાઝ પોલીસ કર્મચારી હતા. તેમની સાથે કારમાં પાંચ બાળકો અને બે મહિલાઓ સામેલ હતી. આ તમામના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. મૃતકોમાં સામેલ પતિ-પત્ની ઓળખ ઈમ્તિયાઝ અને તેમની બેગમ અફરોઝા તરીકે થઈ છે. 

આ અકસ્માત અંગે એક અધિકારીએ જણાવ્યું કે, કિશ્તવાડ તરફથી આવી રહેલી તેજ રફ્તાર મારુતિ સ્વિફ્ટ કાર અનિયંત્રિત થઈને ખાઈમાં ખાબકી ગઈ હતી. 


Google NewsGoogle News