રેલવે મુસાફરો આનંદો, પહેલી એપ્રિલથી નિયમ બદલાયા, જનરલ ટિકિટ ખરીદનારાને મળશે આજથી આ સુવિધા

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
રેલવે મુસાફરો આનંદો, પહેલી એપ્રિલથી નિયમ બદલાયા, જનરલ ટિકિટ ખરીદનારાને મળશે આજથી આ સુવિધા 1 - image

નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલ, 2024 થી શરુ થઈ ગયું છે અને તેમા કેટલાક નિયમોમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ જ રીતે આ વર્ષે 1 એપ્રિલથી રેલવે પણ જનરલ ટિકિટને લઈને એક એવો નિયમ લાવી રહી છે, જે દેશમાં જનરલ ટિકિટ પર મુસાફરી કરતા કરોડો લોકોને રાહત મળશે. 1 એપ્રિલથી રેલવે જનરલ ટિકિટના પૈસા ચુકવણી માટે ડિજિટલ QR કોડને પણ મંજૂરી આપવામાં આવી છે, જેના દ્વારા તમે UPI દ્વારા તમારી જનરલ ટ્રેનની ટિકિટ પણ ખરીદી શકશો.  દેશના ઘણા રેલવે સ્ટેશનો પર આ સેવા શરૂ થઈ ચૂકી છે.

રેલવે સ્ટેશનો પર લાંબી લાઈનોમાંથી મુસાફરોને રાહત આપવા અને ડિજિટલ ઈન્ડિયા તરફ વધુ એક પગલું ભરતા રેલવેએ નિર્ણય લીધો છે, કે હવે રેલવે સ્ટેશનો પરના અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટરો પર પણ ઓનલાઈન ટિકિટની સુવિધા મળી રહેશે. આ સેવા 1 એપ્રિલ, 2024થી નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે. 

સામાન્ય માણસને ફાયદો થશે

રેલવેની આ નવી સર્વિસથી લોકો રેલવે સ્ટેશન પર હાજર સામાન્ય ટિકિટ કાઉન્ટર પર QR કોડ દ્વારા પેમેન્ટ કરી શકશે. જેમાં  Paytm, Google Pay અને Phone Pay જેવા મુખ્ય UPI મોડ દ્વારા ચુકવણી કરી શકાશે. જેના કારણે ટિકિટ કાઉન્ટરો પર લાંબી લાઈનોમાંથી રાહત મળશે. આ ઉપરાંત હવે છૂટા પૈસાની પણ તકલીફ નહીં પડે. 

નવી સિસ્ટમ રહેશે પારદર્શક રહેશે

રેલવે દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુથી ટિકિટ કાઉન્ટર પર જનરલ ટિકિટ ખરીદવા જતા લોકોને ઘણી રાહત મળશે. આ સાથે ટિકિટ કાઉન્ટર પર હાજર કર્મચારી દ્વારા રોકડમાં વધતા તે પાછા આપવામાં ટાઈમ બગડતો હતો તે સમય બચશે. આ ઉપરાંત રોકડ ચૂકવણીમાં થતી અનિયમિતતાઓ પણ ઓછી થશે. લોકોને ડિજિટલ પેમેન્ટ દ્વારા ઓછા સમયમાં ટિકિટ મળશે, જે સંપૂર્ણ પારદર્શક પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપશે.


Google NewsGoogle News