સરકારે જવાનોને મજૂર બનાવ્યા, હવે બે પ્રકારના શહીદ થશે...', અગ્નિવીર યોજનાને લઈને રાહુલ ગાંધીના પ્રહાર

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
સરકારે જવાનોને મજૂર બનાવ્યા, હવે બે પ્રકારના શહીદ થશે...', અગ્નિવીર યોજનાને લઈને રાહુલ ગાંધીના પ્રહાર 1 - image


Rahul Gandhi on Agniveer Scheme: આજે હરિયાણાના મહેન્દ્રગઢમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે અગ્નિવીર યોજના અને સરકાર પર પ્રહારો કર્યા હતા. 

અગ્નિવીર યોજનાને કચરામાં  ફેંકી દઈશું : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે, 'પીએમ નરેન્દ્ર મોદીની સરકારે ભારતના સૈનિકોને મજૂર બનાવી દીધા છે. નવી નીતિમાં બે પ્રકારના સૈનિકો બનાવવામાં આવ્યા છે. એક એવા શહીદ જેના પરિવારને પેન્શન મળશે, શહીદનો દરજ્જો મળશે અને બધી જ સુવિધાઓ મળશે. જયારે બીજા પ્રકારના શહીદ એટલે કે ગરીબ ઘરનો દીકરો જેને અગ્નિવીર નામ આપવામાં આવ્યું છે. આ અગ્નિવીરને ન તો શહીદનો દરજ્જો મળશે, ન તેને પેન્શન મળશે, ન તો તેને કોઈ સુવિધા મળશે, ન તો તેને કેન્ટીન મળશે. આ યોજના નરેન્દ્ર મોદીની યોજના છે. આ સેનાની યોજના નથી. સેનાને તે જોઈતી નથી. આ યોજના પીએમઓ તરફથી બનાવવામાં આવી છે, 'I.N.D.I.A.' ગઠબંધન સરકાર આવશે, ત્યારે અમે અગ્નિવીર યોજનાને કચરામાં  ફેંકી દઈશું.'

બધાને સમાન સુવિધાઓ મળશે

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, 'જો કોઈપણ યુવાન શહીદ થશે પછી ભલે તે હરિયાણાનો હોય કે અન્ય કોઈ જગ્યાનો બધા એક જ પ્રકારના શહીદ હશે. બધાને સમાન સુવિધાઓ મળશે. ઇન્ડિયા સરકાર બધાની રક્ષા કરશે, બધાના પરિવારને પેન્શન મળશે, શહીદનો દરજ્જો બધાને મળશે. અમે અગ્નિવીર યોજનાને કચરામાં ફેંકી દઈશું.'

સેનામાં કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં

'I.N.D.I.A.'ની ગઠબંધન સરકારમાં આવશે તો બધાને સમાન સુવિધા મળશે એવો દાવો પણ કરવામાં આવ્યો હતો. સેનામાં કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. માત્ર એક જ પ્રકારના શહીદો હશે, એક જ પ્રકારની સેવા શરતો લાગુ પડશે. તમામ પરિવારોને કોઈને કોઈ પ્રકારનું પેન્શન મળશે, દરેકને શહીદનો દરજ્જો મળશે.

મોંઘવારી અને બેરોજગારીપર વાત નથી કરતા પીએમ 

જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મેં ભારતભરમાં હજારો કિલોમીટરનો પ્રવાસ કર્યો, જ્યાં લોકોએ મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી, પરંતુ વર્તમાન સરકારને મોંઘવારી અને બેરોજગારી સાથે કોઈ લેવાદેવા નથી.'

સરકારે જવાનોને મજૂર બનાવ્યા, હવે બે પ્રકારના શહીદ થશે...', અગ્નિવીર યોજનાને લઈને રાહુલ ગાંધીના પ્રહાર 2 - image


Google NewsGoogle News