VIDEO : આસામમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો વિરોધ, ભીડે રાહુલ ગાંધીની મુશ્કેલી વધારી
આસામના નાગાંવના આમબગાન વિસ્તારમાં રાહુલ ગાંધી વિરુદ્ધ લોકોનું વિરોધ પ્રદર્શન
ભીડે ઉગ્ર બની સૂત્રોચ્ચાર કરતા સુરક્ષા કર્મચારીઓ રાહુલને તુરંત ત્યાંથી લઈ ગયા
Congress Bharat Jodo Nyay Yatra : કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આજે આઠમાં દિવસે આસામ (Assam) પહોંચી છે, જ્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આજે મોડી સાંજે નાગાંવના આમબગાન વિસ્તારમાં રાહુલ ગાંધી વિરુદ્ધ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભીડે ‘રાહુલ ગાંધી ગો બેક’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહીં ભીડે યાત્રા વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા.
રાહુલ અને યાત્રા વિરુદ્ધ સૂત્રોચ્ચાર
રાહુલ ગાંધીએ સાથે બનેલી પડકારજનક ઘટનાનો પણ વીડિયો સામે આવ્યો છે, જેમાં રાહુલ ગાંધી એક દુકાનમાં જોવા મળી રહ્યા છે, જ્યારે દુકાનની બહાર મોટીસંખ્યામાં ભીડ દેખાઈ રહી છે. તેમના વિરુદ્ધ લોકો સૂત્રોચ્ચાર કર્યા છે. આ દરમિયાન સુરક્ષા કર્મચારીઓ તુરંત રાહુલને ત્યાંથી લઈ ગયા. પ્રદર્શનકારીઓના હાથમાં પોસ્ટર બેનર હતા. ભીડ રાહુલ અને યાત્રા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.
#WATCH | Assam: A large number of people carrying posters of 'Rahul Gandhi go back' and 'Anyaya Yatra' held a protest against Congress leader Rahul Gandhi in the Ambagan area of Nagaon this evening. pic.twitter.com/e4fFIwqFSa
— ANI (@ANI) January 21, 2024
ન્યાય યાત્રાના સભ્યો પર હુમલો કરાયો હોવાનો રાહુલનો આક્ષેપ
આ ઘટના અગાઉ રાહુલ ગાંધીએ નાગાંવમાં એક રેલીમાં સંબોધન કર્યું હતું. રાહુલે આરોપ લગાવ્યો હતો કે, ‘ભાજપના કાર્યકર્તાઓએ આસામમાં ભારત જોડો ન્યાય યાત્રાના સભ્યો પર હુમલો કર્યો. 20-25 ભાજપ કાર્યકર્તાઓ અમારી બસ સામે ડંડો લઈને આવ્યા અને જ્યારે હું બસમાંથી બહાર આવ્યો ત્યારે તેઓ ભાગી ગયા. તેમને લાગે છે કે, કોંગ્રેસ ભાજપ અને આરએસએસથી ડરી ગઈ છે, તેઓ સપના જોઈ રહ્યા છે, તેઓ આંસુ પણ વહાવી શકે છે. જેટલા ઈચ્છો તેટલા પોસ્ટરો અને તખ્તિઓ લગાવો, અમને કોઈ ચિંતા નથી. અમે કોઈનાથી ડરતા નથી. અમે વડાપ્રધાન મોદીથી પણ ડરતા નથી અને આસામના મુખ્યમંત્રીથી પણ...’
‘ભાજપ ધમકી આપી રહી છે’
આ અગાઉ વિશ્વનાથ ચરિયાલીની જનસભામાં રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર ન્યાય યાત્રામાં સામેલ ન થવા લોકોને ધમકી આપી રહી છે અને યાત્રા રૂટ પરના કાર્યક્રમોને મંજૂરી આપવાનો પણ ઈન્કાર કરી રહી છે. BJP ધમકી આપી રહી છે, પરંતુ લોકો તેનાથી ડરતા નથી. આગામી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભારે અંતરથી જીતીશું. હું યાત્રામાં લાંબા ભાષણો કરતો નથી. અમે દૈનિક સાત-આઠ કલાક યાત્રા કરીએ છીએ. તમારા મુદ્દાઓને સાંભળીએ છીએ અને અમારો ઉદ્દેશ્ય તે મુદ્દાઓને ઉઠાવવાનો છે. તેઓ (સરકાર) વિચારે છે કે, લોકોને દબાવી શકીએ છીએ, પરંતુ તેઓ જાણતા નથી કે, આ રાહુલ ગાંધીની યાત્રા નથી, આ લોકોનો અવાજ ઉઠાવવાની યાત્રા છે.’
‘CM સરમાને દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી’
તેમણે આક્ષેપ કર્યો કે, યાત્રા સામેલ ન થવા લોકોને ધમકી અપાઈ રહી છે અને યાત્રાના રૂટ પર કાર્યક્રમો યોજવા મંજૂરી આપવાનો પણ ઈન્કાર કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, રાજ્યમાં કોંગ્રેસના ઝંડા અને બેનરોને નુકસાન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી અને આસામનો લોકો તમારાથી ડરતા નથી. તમારે જે કરવું હોય તે કરો. જ્યારે ચૂંટણી યોજાશે, તો કોંગ્રેસ ભાજપને મોટા અંતરથી હરાવશે. રાહુલ ગાંધીએ હિમંતા બિસ્વા સરમાને દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી ગણાવ્યા છે.
બાળકથી પણ ડરવાનું શરૂ : CM સરમા
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (CM Himanta Biswa Sarma)એ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધી પહેલા મારાથી ડરતો હતો, હવે મારા બાળકોથી પણ ડરવાનું શરૂ કરી દીધું.’ જેનો વળતો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘તેઓ પોતે ડરેલા છે, કારણ કે મુખ્યમંત્રી ભ્રષ્ટ છે.’