અમિત શાહે નીતિશ કુમાર માટે દરવાજો જ બંધ કર્યો હતો આંકડી લગાવવાનું તો ભૂલી ગયા હતા: પ્રશાંત કિશોર

- પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને અમિત શાહ પર કટાક્ષ કર્યો

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
અમિત શાહે નીતિશ કુમાર માટે દરવાજો જ બંધ કર્યો હતો આંકડી લગાવવાનું તો ભૂલી ગયા હતા: પ્રશાંત કિશોર 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 05 ફેબ્રુઆરી 2024, સોમવાર

ચૂંટણી રણનીતિકાર તરીકે ખ્યાતનામ બની ગયેલા પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને અમિત શાહ પર કટાક્ષ કર્યો છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, નીતીશ કુમાર પલટુરામ છે એ તો બિહારનું એક-એક બાળક જાણે છે પરંતુ હમણા થોડા દિવસો પહેલા જે ઘટના ઘટી તેનાથી એ પણ સાબિત થઈ ગયુ છે કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહ પણ એટલા જ મોટા પલટુરામ છે.  બિહારમાં થોડા મહિના પહેલા અમિત શાહે એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું એક બિહાર વાસીઓ કાન ખોલીને સાંભળી લો કે નીતિશ કુમાર માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ થઈ ચૂક્યા છે. પરંતુ હવે હાલમાં એ મજાક થઈ રહી છે કે, અમિત શાહે દરવાજો તો બંધ કરી દીધો હતો પણ આંકડી લગાવવાનું ભૂલી ગયા હતા. 

તેજસ્વી યાદવ પર પણ કર્યા પ્રહાર

પ્રશાંત કિશોરે તેજસ્વી યાદવ પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે તેજસ્વી યાદવ વિપક્ષમાં હોય છે ત્યારે તેમને દારૂમાં માફિયાગિરી નજર આવે છે પરંતુ નીતીશ સાથે ડેપ્યુટી સીએમ બનતા જ તેમને પોતાનો રાજકીય ગુરુ બનાવી લે છે.

નીતિશ કુમાર આરજેડી સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ થઈ ગયા તો ભાજપના લોકો પણ તેમની સાથે ગયા છે. આરજેડી નેતા તેજસ્વી યાદવની પણ આવી જ સ્થિતિ છે. એક વર્ષ પહેલા તેજસ્વી યાદવ નીતિશ કુમારને પલટુરામ ગણાવતા હતા પરંતુ નીતિશ કુમારે તેજસ્વી યાદવને ઉપમુખ્યમંત્રી બનાવતા જ તેજસ્વીએ નીતિશને વિકાસના મસીહા ગણાવી દીધા.


Google NewsGoogle News