પોસ્ટ ઑફિસની મહત્ત્વની PPF યોજનાના 3 નિયમ બદલાયાં, જાણી લો નહીંતર થશે મોટું નુકસાન!

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News


પોસ્ટ ઑફિસની મહત્ત્વની PPF યોજનાના 3 નિયમ બદલાયાં, જાણી લો નહીંતર થશે મોટું નુકસાન! 1 - image

Small Saving Schemes : પોસ્ટ ઑફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ હેઠળ સંચાલિત પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમમાં ત્રણ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફાર 1 ઑક્ટોબર 2024 એટલે કે આવતા મહિનાથી લાગુ થઈ જશે. આ અંગે નાણા મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ એક એવી યોજના છે, જે 15 વર્ષની મેચ્યોરિટી પીરિયડ સાથે આવે છે અને તમને લાંબા ગાળે કરોડપતિ બનાવી શકે. આવો આજે આ યોજના વિશે વિસ્તૃતમાં જાણીએ. 

21 ઑગસ્ટ, 2024ના રોજ કેન્દ્રીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નવા નિયમો અંગે માર્ગદર્શિકા જારી કરી છે, જે હેઠળ PPFના ત્રણ નવા નિયમો લાગુ કરવામાં આવશે. આ સિવાય સુકન્યા સમૃદ્ધિ યોજના અને NSCના નિયમોમાં પણ ફેરફાર થશે. આ ગાઇડલાઇનમાં સગીરથી લઈને NRI સુધીના ત્રણ અલગ-અલગ કેસોના અનિયમિત ખાતાઓને નિયમિત કરવા વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: શું રાહુલ પાસે કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની સત્તા છે? જમ્મુની રેલીમાં શાહનો વળતો પ્રહાર

પહેલો નિયમ- સગીરના નામે ખોલવામાં આવેલું PPF ખાતું

આવા અનિયમિત ખાતાઓ પર પોસ્ટ ઑફિસ સેવિંગ્સ એકાઉન્ટ (POSA)પર ત્યાં સુધી વ્યાજ ચૂકવવામાં આવશે જ્યાં સુધી વ્યક્તિ ખાતું ખોલવા માટે યોગ્ય ન બને. એટલે કે, જ્યાં સુધી વ્યક્તિ 18 વર્ષની ન થાય, ત્યાર બાદ પીપીએફ વ્યાજ દર ચૂકવવામાં આવશે. મેચ્યોરિટી પીરિયડની ગણતરી તે તારીખથી કરવામાં આવશે જે દિવસે સગીર પુખ્ત થઈ જાય છે. એટલે કે, એ તારીખથી વ્યક્તિ ખાતું ખોલવા માટે યોગ્ય થઈ જાય છે. 

બીજો નિયમ - એક કરતાં વધુ પીપીએફ એકાઉન્ટ

પ્રાયમરી એકાઉન્ટ પર યોજના પ્રમાણે જ વ્યાજ મળશે, પરંતુ જમા રકમ દર વર્ષ માટે લાગુ મહત્તમ મર્યાદાની અંદર હોય. બીજા એકાઉન્ટમાં બાકીની રકમ પહેલા ખાતામાં જમા કરી દેવામાં આવશે. પ્રાથમિક અને ગૌણ ખાતા સિવાયના કોઈપણ વધારાના ખાતા પર ખાતું ખોલવાની તારીખથી 0 (ઝીરો)ટકા વ્યાજ મળશે. એટલે કે, જો એક કરતાં વધુ ખાતા ખોલવામાં આવે તો પણ પીપીએફ યોજના હેઠળ વ્યાજ માત્ર એક ખાતા પર જ મળશે.

ત્રીજો ફેરફાર- NRI દ્વારા PPF ખાતાનું વિસ્તરણ

માત્ર PPF, 1968 હેઠળ ખોલવામાં આવેલા એક્ટિવ NRI PPF ખાતા કે જ્યાં ખાતાધારકની રહેણાંક સ્થિતિ ફોર્મ Hમાં ખાસ પૂછવામાં આવતી નથી. એકાઉન્ટ હોલ્ડર્સ (ભારતીય નાગરિકો કે જેઓ ખાતું ખોલવાના સમયગાળા દરમિયાન NRI બન્યા છે) ને POSA દરે 30 સપ્ટેમ્બર 2024 સુધી વ્યાજ આપવામાં આવશે. ત્યાર બાદ 1 ઑક્ટોબરથી આ ખાતાઓ પર 0 (શૂન્ય) વ્યાજ દર લાગુ થશે.


Google NewsGoogle News