'રાષ્ટ્રપિતા' મહાત્મા ગાંધીને PM મોદીની શ્રદ્ધાંજલિ, રાજઘાટ પર રાષ્ટ્રપતિ સહિતના દિગ્ગજોનો જમાવડો

તેમની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાએ પણ ગાંધીજીને તેમની જયંતિએ યાદ કર્યા

આ દરમિયાન પીએમ મોદીએ જર્મનીના કૈસમીનો એક વીડિયો શેર કર્યો હતો

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
'રાષ્ટ્રપિતા' મહાત્મા ગાંધીને PM મોદીની શ્રદ્ધાંજલિ, રાજઘાટ પર રાષ્ટ્રપતિ સહિતના દિગ્ગજોનો જમાવડો 1 - image

mahatama Gandhi Jayanti 2023: આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિ છે. આ અવસરે વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi) એ રાજઘાટ (Rajghat) પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાએ પણ ગાંધીજીને તેમની જયંતિએ યાદ કર્યા હતા. 

પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ 

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે ગાંધી જયંતિના અવસરે હું મહાત્મા ગાંધીને નમન કરું છું. તેમની કાલજયી શિક્ષા અમને પથ આલોકિત કરતી રહે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીનો (Mahatma Gandhi) વિશ્વ સ્તરે પ્રભાવ છે જે સંપૂર્ણ માનવજાતિને એકતા અને કરુણાની ભાવનાને આગળ વધારવા માટે પ્રેરિત કરે છે. અમે સદૈવ તેમના સપનાને સાકાર કરવાની દિશામાં કામ કરીએ છીએ. તેમણે કહ્યું કે ગાંધીજીના વિચાર પ્રત્યેક યુવાને એ પરિવર્તનનું વાહક બનવામાં સક્ષમ બનાવે જેનું સપનું તેમણે જોયું હતું જેથી સર્વત્ર એકતા અને સદભાવને પ્રોત્સાહન મળે. 

પીએમ મોદીએ વીડિયો શેર કર્યો 

આ દરમિયાન પીએમ મોદીએ જર્મનીના કૈસમીનો એક વીડિયો શેર કર્યો હતો. તેમણે કહ્યું કે ગાંધીજીના વિચાર દુનિયાભરના લોકો સાથે જોડાયેલા છે. કૈસમી (CassMae) દ્વારા ગવાયેલ વૈષ્ણવ જન તો આ ભાવપૂર્ણ પ્રસ્તુતીકરણ જરૂર સાંભળો, જેનો ઉલ્લેખ તાજેતરમાં મન કી બાત દરમિયાન કરાયો હતો. 

રાષ્ટ્રપતિ મુર્મુએ રાજઘાટ પહોંચી આપી શ્રદ્ધાંજલિ 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ રાજઘાટ પહોંચીને ગાંધીને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. અગાઉ એક ઓક્ટોબરની સાંજે રાષ્ટ્રપતિ મુર્મુએ લોકોને દેશના કલ્યાણ માટે સમર્પિત થઈને તેમના વિચારો, ભાષણ અને કાર્યોમાં ગાંધીજીના મૂલ્યો અને શિક્ષાઓનું પાલન કરવાની અપીલ કરી હતી. 

  'રાષ્ટ્રપિતા' મહાત્મા ગાંધીને PM મોદીની શ્રદ્ધાંજલિ, રાજઘાટ પર રાષ્ટ્રપતિ સહિતના દિગ્ગજોનો જમાવડો 2 - image


Google NewsGoogle News