e-KYC નથી કરાવી... તો શું હવે જમા થશે PM કિસાન યોજનાનો 15મો હપ્તો? જાણો નિયમ
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ખેડુતોને વર્ષે 6 હજાર રુપિયા આપવામાં આવે છે
e-KYC નથી કરાવી તો તમે નજીકના સીએસસી સેંન્ટરમાં કરાવી શકો છો
Image Envato |
તા. 1 ઓક્ટોમ્બર 2023, રવિવાર
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi)અંતર્ગત ખેડુતો (Kisan-farmer)ને વર્ષે 6 હજાર રુપિયા આપવામાં આવે છે. આ રુપિયા વર્ષમાં ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. જેમા 2-2 હજારના ત્રણ હપ્તા કરીને આપવામાં આવે છે. આ યોજના (government scheme) નો લાભ લેવા માટે ખેડુતોને કેટલીક શરતો પુરી કરવાની હોય છે. આજે પીએમ કિસાન યોજના ( (PM Kisan Samman Nidhi) માં ખેડુતોએ કઈ રીતે e-KYC કરાવવી તે વિશે વાત કરીએ.
e-KYC કરાવવી કેટલી જરુરી છે
સરકાર તરફથી પહેલા જ સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે, આ યોજનામાં લાભ મેળવવા માટે દરેક ખેડુતોએ e-KYC કરાવવી ફરજીયાત છે. પછી તમે આ યોજનામાં નવા જોડાયેલા હોવ અથવા પહેલાથી લાભ મેળવી રહ્યા હોવ દરેક ખેડુતોઓ e-KYC કરાવવી જરુરી છે. અને જે ખેડુતોએ e-KYC કરાવેલ નહી હોય અથવા નહી કરાવે તો આવા ખેડુતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં.
ક્યા કરાવી શકાય છે e-KYC
જો તમે હજુ સુધી e-KYC નથી કરાવી, તો નજીકના સીએસસી સેંન્ટરમાં જઈ કરાવી શકો છો. અહીં તમારે આધારકાર્ડ લઈ જવાનું રહેશે, જે બાદ ત્યાં તમને e-KYC કરી આપવામાં આવશે. તમે ખુદ અધિકૃત પીએમ કિસાન પોર્ટલ pmkisan.gov.in પર જઈ e-KYC કરી શકો છો.
આ કારણે અટકી શકે છે આગળનો હપ્તો
e-KYC સિવાય તમારો આગામી હપ્તો અન્ય કારણોથી પણ અટકી શકે છે. તમારે ધ્યાન આપવુ પડશે કે તમારા દ્વારા ભરીને આપવામાં આવેલ ફોર્મમાં કોઈ ભૂલ તો નથી થઈ ને. જેમ કે જેન્ડરમાં કોઈ ભૂલ કરી હોય, નામમાં કોઈ ભૂલ કરી હોય, આધાર નંબર બરોબર ના લખ્યો હોય આવી નાની-મોટી ભૂલ કરી હશે તો પણ તમારા ખાતામાં રુપિયા જમા નહી આવે.
કોઈ સમસ્યા આવતી હોય તો અહીં સંપર્ક કરી શકો છો
પીએમ કિસાન યોજના સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો કિસાન ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર જઈ સંપર્ક કરી શકે છે. તથા હેલ્પલાઈન નંબર 155261 અથવા 1800115526 અથવા 011-23381092 પર સંપર્ક કરી શકો છો.