VIDEO : પાકિસ્તાનમાં ફરી આત્મઘાતી હુમલો, બલુચિસ્તાન બાદ ખૈબર પખ્તૂનખ્વાની મસ્જિદમાં વિસ્ફોટ
મસ્જિદમાં ઓછામાં ઓછા 40થી 50 લોકો હતા, નમાજ દરમિયાન થયો વિસ્ફોટ
વિસ્ફોટમાં મસ્જિદની દિવાલ ધરાશાયી, અગાઉ બલૂચિસ્તાનની મસ્જિદમાં થયો હતો વિસ્ફોટ
ઈસ્લામાબાદ, તા.29 સપ્ટેમ્બર-2023, શુક્રવાર
પાકિસ્તાનમાં ફરી આત્મઘાતી હુમલો થવાની ઘટના સામે આવી છે. અગાઉ બલુચિસ્તાનના વિસ્ફોટમાં 52ના મોત થયા બાદ ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં મસ્જિદમાં વિસ્ફોટ થવાના અહેવાલો મળી રહ્યા છે. બીજા વિસ્ફોટની ઘટનામાં 3થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે વિસ્ફોટના કારણે દિવાલ શરાયાઈ થતા ઘણા લોકો દબાયા હોવાની આશંકા છે. વિસ્ફોટ થયો ત્યારે મસ્જિદમાં 40થી 50 લોકો હતા, જેઓ નમાજ પઢી રહ્યા હતા. બલુચિસ્તાન બાદ ખૈબર પખ્તૂનખ્વામાં વિસ્ફોટ થયા બાદ પાકિસ્તાનની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે.
#BREAKING
— Pak Afghan Affairs (@Pak_AfgAffairs) September 29, 2023
A suicide bomber blew himself inside a mosque in #Hangu, Khyber Pakhtunkhwa during the Friday prayers.
Number of casualties are being reported. More information is awaited. pic.twitter.com/2kQdNlXcJ9
મસ્જિદમાં ઓછામાં ઓછા 40થી 50 લોકો હતા
મીડિયા અહેવાલો મુજબ હંગૂ જિલ્લમાં આવેલી મસ્જિદમાં નવાજ દરમિયાન વિસ્ફોટ થયો છે. આ દરમિયાન મસ્જિદમાં ઓછામાં ઓછા 40થી 50 લોકો હતા. પોલીસે જણાવ્યું કે, આ આત્મઘાતી હુમલો હતો, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
વિસ્ફોટ બાદ મસ્જિદની દિવાલ ધરાશાયી
ડૉનની રિપોર્ટ મુજબ હંગૂના પોલીસ અધિકારી નિસાર અહમદે જણાવ્યું કે, વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે, મસ્જિદની દિવાલ ધરાશાઈ થઈ ગઈ છે, જેમાં ઘણા લોકો દબાયા હોવાની આશંકા છે. વિસ્ફોટ બાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મસ્જિદ પાસે લોકોની ભીડ જોવા મળી રહી છે.
ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાનના પશ્ચિમ પ્રાંત બલૂચિસ્તાનમાં પણ મસ્જિદ પાસે ઈદના જુલુસ દરમિયાન આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 52થી વધુ લોકોના મોત થયા છે.