Get The App

સંભલની જામા મસ્જિદમાં રંગકામ નહીં કરી શકાય, ASIના રિપોર્ટ પર હાઇકોર્ટનો મોટો ચુકાદો

Updated: Feb 28th, 2025


Google NewsGoogle News
સંભલની જામા મસ્જિદમાં રંગકામ નહીં કરી શકાય, ASIના રિપોર્ટ પર હાઇકોર્ટનો મોટો ચુકાદો 1 - image


Image: Facebook

Jama Mosque Painting Issue: સંભલ સ્થિત જામા મસ્જિદની માત્ર સાફ સફાઈ થશે. રંગકામ અને સમારકામ થઈ શકશે નહીં. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ(એએસઆઇ)એ ફોટોગ્રાફ સહિત રિપોર્ટ દાખલ કરી કહ્યું છે કે રંગકામની જરૂરિયાત નથી. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે અરજીને રિપોર્ટ પર જવાબ દાખલ કરવાનો સમય આપ્યો છે. એએસઆઈથી કહ્યું છે કે તે સોમવાર સુધી સોગંદનામા સાથે રિપોર્ટ દાખલ કરે. મામલામાં આગામી સુનાવણી પાંચ માર્ચે થશે.

એએસઆઈએ પૂર્વમાં જામા મસ્જિદ ઈંતેજામિયા કમિટીની અરજી ફગાવી દીધી હતી. આની પર કમિટીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે ગુરુવારે એએસઆઇની ત્રણ સભ્યની સમિતિ બનાવીને શુક્રવારે રિપોર્ટ માગ્યો હતો. રાજ્ય સરકાર અને મંદિર પક્ષ તરફથી અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે.

ASI એ બીજું શું કહ્યું?

એએસઆઇનું કહેવું છે કે અનામત સ્થળમાં રંગકામ સમારકામની પરવાનગી આપી શકાય નહીં. મંદિર પક્ષે સફાઈ સમારકામની આડમાં પુરાવાથી છેડછાડની આશંકા વ્યક્ત કરતાં વિરોધ કર્યો હતો. જામા મસ્જિદ કમિટી તરફથી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટના આદેશ બાદ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઇ)ની ત્રણ સભ્યની ટીમ ગુરુવારે સંભલ જામા મસ્જિદ પહોંચી હતી. ત્યાં ટીમમાં સામેલ અધિકારીઓએ જામા મસ્જિદની અંદર અને બહારના વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને તેનો ફોટો અને વીડિયો પણ કરાવ્યો હતો. નિરીક્ષણના સમયે એએસપી, એસડીએમ અને મસ્જિદ કમિટી પણ તેમની સાથે રહ્યાં. આ દરમિયાન જામા મસ્જિદના આસપાસ સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: '...તો પછી પરિણામ કેજરીવાલ જેવા જ આવશે ને', CM ઓમર અબ્દુલ્લાહે કોને ટોણો માર્યો

પોતાના મોબાઇલથી પણ ફોટો લેતાં નજર આવ્યા અધિકારી

ગુરુવારે સાંજે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમ જામા મસ્જિદ પહોંચી હતી. આમ તો ટીમ પોસ્ટઑફિસથી જામા મસ્જિદની પાસે પહોંચી તો તેમાં સામેલ અધિકારી પોતાના મોબાઇલથી તેનો વીડિયો અને ફોટો ક્લિક કરી રહ્યા હતા. આ સાથે જ નિરીક્ષણ દરમિયાન તેમણે જામા મસ્જિદની ચારે બાજુ ફોટો પણ પોતાના મોબાઇલમાં ક્લિક કરાવ્યા.

ટીમને લઈને સુરક્ષા માટે કરવામાં આવી હતી કડક વ્યવસ્થા

કોર્ટના આદેશ પર જ્યારે જિલ્લાના પોલીસ અને વહીવટી અધિકારીઓને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગના અધિકારીઓની ટીમના આવવાની માહિતી મળી તો તંત્ર સતર્ક થઈ ગયું હતું. દરમિયાન પોલીસ તરફથી જામા મસ્જિદની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ દળને તહેનાત કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક પોલીસની સાથે મોટી સંખ્યામાં પીએસી અને આરઆરએફ જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતાં. 


Google NewsGoogle News