નોઈડા એક્સપ્રેસ વે પર બે બસો વચ્ચે ભીષણ ટક્કર થતાં મચી અફરાતફરી, 40થી વધુ ઘવાયા

મથુરા કટ નજીકમાં આ દુર્ઘટના સર્જાઈ હતી

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
નોઈડા એક્સપ્રેસ વે પર બે બસો વચ્ચે ભીષણ ટક્કર થતાં મચી અફરાતફરી, 40થી વધુ ઘવાયા 1 - image


Noida Bus Accident News | નોઈડા એક્સપ્રેસ વે પર બે બસો વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયાની માહિતી મળી રહી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં લગભગ 40થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે. મથુરા કટ નજીકમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ બંને બસો નોઈડા તરફ આવી રહી હોવાની માહિતી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હાહાકાર મચી ગયો હતો. હાલમાં ભારે ઠંડી પડી રહી હોવાથી ધુમ્મસની સ્થિતિ વધુ જોવા મળી રહી છે જે અકસ્માતનું મોટું કારણ હોઈ શકે છે. 

નોઈડા એક્સપ્રેસ વે પર બે બસો વચ્ચે ભીષણ ટક્કર થતાં મચી અફરાતફરી, 40થી વધુ ઘવાયા 2 - image


Google NewsGoogle News