બેંગ્લુરુમાં 28 ફેબ્રુઆરી સુધીમાં દુકાનોના બોર્ડ કન્નડ ભાષામાં લગાવવાનો આદેશ

બીબીએમપીના ચીફ કમિશનર તુષારગિરિ નાથનાં નિર્દેશ

દુકાનના સાઇન બોર્ડના 60 ટકા ભાગમાં કન્નડ ભાષાનો ઉપયોગ ફરજિયાત : નિયમ ભંગ બદલ લાયસન્સ રદ કરાશે

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
બેંગ્લુરુમાં 28 ફેબ્રુઆરી સુધીમાં દુકાનોના બોર્ડ કન્નડ ભાષામાં લગાવવાનો આદેશ 1 - image


બેંગ્લુરુ: મહારાષ્ટ્રમાં દુકાનોના બોર્ડ મરાઠી ભાષામાં હોવાની માગ મનસેના વડા રાજ ઠાકરે સહિતના અનેક લોકો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યાં હતાં. આ દરમિયાન બૃહત બેંગ્લુરુ મહાનગર પાલિકા (બીબીએમપી)ના ચીફ કમિશનર તુષાર ગિરિ નાથે  આગામી વર્ષ ફેબ્રુઆરીની અંત સુધી બેંગાલુરુમાં કોમર્શિયલ સ્ટોર્સના ૬૦ ટકા સાઇનબોર્ડ કન્નડમાં કરાવવાનો આદેશ આપ્યો છે. આ આદેશનું પાલન ન કરવા પર સ્ટોર્સનું ટ્રેડ લાયસન્સ રદ કરવામાં આવશે.

અધિકારી કન્નડ ભાષાના મુદ્દાને આગળ વધારનારા સંગઠન કર્ણાટક રક્ષણા વેદિકે (કેઆરવી)ની સાથે એક બેઠકને સંબોધિત કરી રહ્યાં હતાં. બેંગ્લુરુમાં 1400 કિમી મુખ્ય સડકો અને સબ-વે છે. આ માર્ગોના બંને છેડે આવેલી દુકાનોનો સર્વે કરવામાં આવશે. 

જો આ સર્વેમાં સાઇન બોર્ડમાં ૬૦ ટકા કન્નડ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો  નહીં હોય તો દુકાનના માલિકોને નોટીસ આપવામાં આવશે. નોટિસ મળ્યા પછી તેમને કન્નડ ભાષામાં નેમપ્લેટ લગાવવા અને સંબધિત કમિશનરને આદેશનું પાલન કરાવવા માટે ૨૮ ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવશે.બીબીએમપીના આદેશ અનુસાર ચીફ કમિશનર તુષાર ગિરિએ જણાવ્યું હતું કે તમામ ઝોનલ કમિશનરને આ આદેશનું પાલન કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ૧૫ થી ૨૦ દિવસોની અંદર મોલની તમામ દુકાનો અને નેમપ્લેટમાં કન્નડ ભાષાનો ઉપયોગ થવો જોઇએ. આ આદેશનું પાલન કરવા પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યપ્રધાન તરીકેના પ્રથમ કાર્યકાળ દરમિયાન સિદ્ધરમૈયાએ કન્નડ ભાષના વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો હતો. કન્નડને વેગ આપવા માટે રચાયેલ એક સરકારી એકમે તે વખતે બેંક અધિકારીઓને છ મહિનાની અંદર કન્નડ શીખવા અલ્ટીમેટમ આપ્યું હતું. સિદ્ધરમૈયાના ગત કાર્યકાળ દરમિયાન બેંગ્લુરુ મેટ્રો સ્ટેશનોના હિંદી નામોને નિશાન બનાવ્યા હતાં. તેમણે આ બોર્ડ ટેપથી કવર દીધા હતાં.


Google NewsGoogle News